SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ હ૫૪] દર્શન અને ચિંતન ખાતાના અને કેળવણીપ્રિય હતા તેમને અને જેઓ વ્યાપારી માનસ ધરાવતા તેમને પણ એકસરખે ઉત્સાહ પ્રગટયો. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબ ગુજરાતમાં આવ્યા પછી સોસાયટીના કાર્યો બહુ જલદી વેગ પકડ્યો. ધ્રુવજીએ પહેલું મૂર્ત કામ તે પ્રાચ્યવિદ્યા સંશોધન માટે ગુજરાત વિદ્યાસભાના આશ્રય નીચે સંસ્થા સ્થાપવાનું કર્યુંએ સંસ્થાની કાર્યદિશા અને બીજી જના વિશેની વિચારણાનો યશ તેમ જ સરકારી મદદ મેળવવાને યશ એમને ફાળે જ મુખ્યપણે જાય છે. એમણે જે દીર્ધદષ્ટિથી એ સંસ્થા માટે કાર્યકર્તાની પસંદગી કરી હતી તેમાં જ સંસ્થાનાં ઊંડાં મૂળ નંખાયેલાં, એમ મને અનુભવે લાગ્યું છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વિષયક તેમ જ ઉદ્યોગ વિષયક કલેજે. ની પ્રજાકલ્યાણ માટે અગત્ય તેઓ પૂરેપૂરી સમજતા, છતાં પણ જે શિષ્ટ અને મંગળ સંસ્કારથી માણસ માણસ બને છે તે સંસ્કારે એમણે આજીવન પીધેલા અને અન્યને દીધેલા હોવાથી એમનું વલણ પ્રથમ આસ કોલેજની રથાપના તરફ વળે એ સ્વાભાવિક હતું. એ પ્રમાણે એમણે એ કામની શરૂઆત પણ કરાવી. એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનાર સાયટીના કાર્યકર્તાઓ કે બીજા મહાનુભાના મનમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નખાયેલાં અને સીંચાયેલાં બીજે બહુ ત્વરિત ગતિએ અંકુરિત થઈ રહ્યાં હતાં. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબના સ્વર્ગવાસ દરમ્યાન દેશમાં સ્વાતંત્ર્યયુદ્ધને પ્રચંડ જુવાળ આવેલે, છતાં એ જુવાળ શમ્યો કે ન શો, ત્યાં તે વિશ્વવિદ્યાલયનું સ્વપ્ન મૂર્ત થાય છે અને ધ્રુવજીએ જે કહેલું કે “હું સ્વપ્નમાં નથી, પણ જાગૃત છું” તે વચન ફળે છે. સાથે સાથે બીજી અનેક કૅલેજો પણ અસ્તિત્વમાં આવી જાય છે. અહેવાલ વાંચનારના લક્ષ ઉપર આવ્યા વિના રહી જ ન શકે તેવી એક બાબત સમગ્ર વિદ્યાપ્રવૃત્તિમાં સધાયેલે ધી-શ્રીને સંયોગ છે. એક પ્રાચીન સૂત્ર અત્યારે સ્મૃતિપટ પર આવે છે. ધી–શ્રી સ્ત્રી. હું અહીં સ્ત્રી પદને માતા સરસ્વતીની આરાધના માટેની સંસ્થાના પ્રતીક તરીકે લઉં છું. જે એવી આરાધના સાધન સાથે પણ સમજણપૂર્વક કરવી હોય તે એ માટે ધી–શ્રીને જીવનદાયી સમન્વય આવશ્યક છે, જે સંસાયટીએ પહેલેથી જ સિદ્ધ કર્યો છે. સરકાર સાથે કામ લેવાનું તેમ જ બંધારણ અને કાયદાકાનૂનની ગૂંચમાંથી ક્ષેમંકર માર્ગ કાઢવાનું ડહાપણ તે ધી, અને લક્ષ્મી ઉપાર્જન કરી એને વિનિયોગ કરવાનું ડહાપણ તે શ્રી. આ બંનેમાં એકની પણ ઊણપ કે કચાશ હત તે સોસાયટીએ કરવા ધારેલ પ્રગતિ આટલી ટૂંક મુદતમાં કદી સધાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy