SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૫૩ વટબીજનો વિસ્તાર અહીં તે એમના નામને ઉલ્લેખ માત્ર પૂરત છે; પણ હીરાલાલ કાપડિયા અને ગોવિંદલાલ દામોદરદાસ શાહ જેવા બીજા એવા પણ છે કે જેમને સર્વસામાન્ય ગુજરાતી અને અમદાવાદી સુધ્ધાં ભાગ્યે જ જાણતા હશે. પણ તેઓએ નાણાં ઉઘરાવવામાં અને બીજા વહીવટી કામમાં સ્મરણીય ફાળો આપ્યો છે, એ અહેવાલમાંના ટૂંકા સૂચનથી પણ જણાઈ આવે છે. અહેવાલમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું નામ ડે. ધ્રુવનું છે. પ્રસંગ છે તે એમના વિશે કાંઈક વધારે લખવું યોગ્ય છે. વાચકને પણ એ અનુપયોગી નહિ લાગે. પંડિત મદનમોહન માલવીયના આકર્ષા અને પૂ. ગાંધીજીના પ્રેય ધ્રુવસાહેબ બનારસ ગયા, એ વાત સર્વવિદિત છે. તેઓ ત્યાં પ્રે-વાઈસ ચેન્સલર હતા, પ્રિન્સિપાલ પણ હતા, અધ્યાપન પણ કરતા. એમના વિદ્યાપ્રધાન જીવનને હિન્દુ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મળી એ સાથે આ દેશમાં ચાલતી અનેક યુનિવર્સિટીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની પણ તક સાંપડી અને દેશવિદેશના અનેક ઉચ્ચ કક્ષાના વિવિધ વિષોના પારગામી વિદ્વાનોના સંપર્ક સાધવાની પણ પૂરી તક સાંપડી. તેમનું મન વિશ્વવિદ્યાલયના સ્વરૂપનું સ્વતંત્રપણે ચિંતન કરતું. આ રીતે તેઓ વિદ્યાપ્રૌઢ ઉપરાંત અનુભવપ્રૌઢ પણ હતા. તેઓ રહેતા કાશીમાં, પણ તેમનું મન ગુજરાતમાં હતું. મને એક પ્રસંગે કાશીમાં કહેલું કે “પંડિતજી મને છોડતા નથી, અને ગુજરાતમાં કામ કરવાનું મારું સ્વપ્ન દૂર ધકેલાતું જાય છે.” મેં એક વાર પૂછયું કે આજે સાંભળ્યું કે હવે આપ ા થવાના છે.' તો કહે કે “હરિઇચ્છા, પણ મારે વર્ધાના તપસ્વીના આશીર્વાદ જોઈએ. હું ગાંધીજીને લખેલ પત્રના જવાબની રાહમાં છું.' મને એ વખતે થયેલું કે આખી જિંદગી વિદ્યા અને શાસ્ત્રોનું બ્રાહ્મણત્વ કેળવનાર આ વૃદ્ધ તપસ્યામાં કેટલી ઊંડી શ્રદ્ધા ધરાવે છે! આવા પ્રૌઢ અને વૃદ્ધ જ્યારે નિવૃત્તિ લઈ ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે ગુજરાત માટે પોતે જ કરવા ધારેલું કામ હાથમાં લીધું. વિશ્વવિદ્યાલય આવશ્યક છે કે નહિ, આવશ્યક હોય છે એને અંગે કેવી કેવી અને કેટકેટલી શાખાઓનું ઉચ્ચ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ, એમાં કઈ કક્ષાના અધ્યાપકે જોઈએ, વગેરે બાબતોનું એમને અનુભૂત જ્ઞાન હતું. તે જ્ઞાનને લાભ સોસાયટીને સીધે મળે છે, એ વસ્તુ આપણે અહેવાલમાંના એમના વિશેના પ્રાસંગિક ઉલ્લેખેથી જાણવા પામીએ છીએ. સોસાયટીના પ્રમુખ તરીકે ધ્રુવસાહેબ નિમાયા અને એમના હાથ નીચે કે એમની સાથે કામ કરવામાં સૌને એકસરખો આનંદાનુભવ થવા લાગે. જેમાં વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy