________________
*પર ]
દર્શન અને ચિં’તન
છીએ કે ગમે તેવાં કડક પગલાં સરકારે લેવા ધાર્યું છતાં વિદ્યાર્થીઓ અને કા કર્તાએ અણુનમ રહ્યા અને એના પરિણામસ્વરૂપે અમદાવાદ એજ્યુકેશન સાસાયટીની સ્થાપનાના વિચારે ઊંડાં મૂળ ધાલ્યાં, ત્યારે સ્વાતંત્ર્યપ્રેમી મન પ્રફુલ્લ થાય છે.
અહેવાલમાં ખીજો એક પ્રજાસ્વમાનભજક પ્રસંગ વાંચવા મળે છે કે જ્યારે એ જ ગેારા આચાર્યે અને ખીજા દેશી અમલદાએ વંદે માતરમ”ના ગાન સામે અણગમા દર્શાવેલા. ખરેખર, આ પ્રસંગ પણ કસોટીને જ લેખાય. એ વખતે સરકારની ખી વહેારવી કે નમી પડવું એ બે વિકલ્પ હતા; પણ આખા દેશમાં જે સ્વમાનની ભાવના સ્થિરપદ થઈ હતી, તેથી કાંઈ ગુજરાત જરા પણ અસ્પૃષ્ટ ન હતું. ઊલટું, એમ કહેવું જોઇએ કે, આ વખતે તે। જેલની તપસ્યાથી એ ભાવના વધારે દઢ અને સ્પષ્ટ થઈ હતી. તેથી જ આપણે જોઈએ છીએ કે એ ગેારા આચાય'ની તુમાખીની ભૂખ ભાંગે એવા વિનમ્ર પણ મક્કમ જવાબ સેાસાયટીના કાર્ય કર્તાઓએ પરખાવ્યેા. સાથે જ નવી નવી કૉલેજોની સ્થાપનાના નિરધાર પણ વધારે વેગવાન બન્યા. દેખીતી રીતે એમ લાગે છે કે ગુજરાતનું આ ગૌરવશાળી ખળ, પણ એનાં મૂળમાં ઊઊંડે ઊતરીને જોતાં મને તે એમ લાગે છે કે આ પ્રજાના સ્વમાનની વૃત્તિ અને એ માટે ખપી જવાની દૃઢતા એ અંતે પૂજ્ય ગાંધીજીના આફ્રિકાના જીવનમાં ધરમૂળથી ગુલામીવૃત્તિને નિવારવા માટે પ્રગટેલા શૂરમાં છે.
સાસાયટીના સભ્યો અને કાર્ય કર્તાઓમાં કેટલાય એવા છે કે જેઓ અત્યારે આપણી સામે નથી, પણ એમણે સેાસાયટીએ કરવા ધારેલ વિશ્વવિદ્યાલયાનુલક્ષી પ્રવૃત્તિમાં નાનેસના ફાળેા નથી આપ્યા. એમાંથી આ અહેવાલ સૌથી પહેલાં આપણું ધ્યાન સર લલ્લુભાઈ આશારામ પ્રત્યે ખેંચે છે. એ જમાનામાં, કે જ્યારે હજી વિશ્વવિદ્યાલયના વિચાર જોઈ એ તેવા દૃઢ થયેા ન હતા, તે વખતે એમણે કેવી અગમચેતી વાપરી અને લેં કોલેજના પાયા નંખાવ્યા ! જે વસ્તુ આજે સહેલી લાગે છે તે એ કાળે એવી સહેલી ન હતી. સાથે જ આપણે જોઇએ છીએ કે સર લલ્લુભાઈના વિચારને અમદાવાદે તરત જ કેવા વધાવી લીધા ! સામાન્ય રીતે સાસાયટીના હિતચિંતકાએ કામ વહેંચી લીધેલાં. કેટલાકે નાણાં એકઠાં કરવાની જવાબદારી માથે લીધી તા ખીજા કેટલાકે સંસ્થાને અંગે જરૂરી એવાં વ્યવહારુ કામેાની જવાબદારી માથે લીધી. સ્વ. મલ્લુભાઈ ઠાકાર નાણાં ઉધરાવનારાઓમાં મેખરે હતા. એમનું નામ કેળવણીકારો અને અમદાવાદીઓને તે ભાગ્યે જ અજ્ઞાત હશે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org