________________
વીજન વિસ્તાર
[ ૯૫૫ નહિ. એમ તે ગુજરાત વ્યાપારપ્રધાન હોઈ એની પ્રકૃતિમાં જ સમન્વયશક્તિ રહેલી છે, પણ પ્રજાહિતના શિક્ષણ જેવા મંગળવાહી ઉદ્દેશને સિદ્ધ કરવામાં એ સમન્વય સધા એ જેવીતેવી સિદ્ધિ નથી. હું સમજું છું કે આ જ વસ્તુ સોસાયટીને ધબકત પ્રાણુ છે.
એસ.એલ.ડી. આર્ટસ કોલેજ માટે સખાવત કરતી વખતે અને ઇજનેરી કોલેજની સ્થાપના માટે સખાવત જાહેર કરતી વખતે અનુક્રમે સોસાયટી સમક્ષ તેમ જ સરકાર સમક્ષ સખાવત કરનાર શેઠશ્રીએ જે શરત મૂકી છે તે સંખ્યામાં છે તે સાવ ઓછી અને કદમાં સાવ નાની, પણ એનું મર્મ વિચારતાં માલૂમ પડે છે કે એમાં પૂરું વેપારી ડહાપણ સમાઈ જાય છે. આ કોલેજ માટેની શરતમાં મુખ્ય હેતુ એ છે કે એમાં અનુભવી સમર્થતમ અધ્યાપકે રોકવામાં આવે, અને સોસાયટી બીજા ધનિકોમાં પણ સખાવતવૃત્તિ વિકસાવે. સરકાર સામેની શરતમાં પહેલી શરતને હેતુ એ છે કે ઈજનેરી શિક્ષણની કઈ પણ શાખા ઉપેક્ષિત ન રહે અને એનું શિક્ષણ છેલ્લામાં છેલ્લી વિકસિત ઢબનું ઉત્તમ હોય. વધારે ડહાપણ તે એમાં દેખાય છે કે શરત સરકારને છૂટે હાથે ખર્ચ કરી કૉલેજ ચલાવવા બાંધી લે છે. મારી દષ્ટિએ એથીયે વધારે વ્યવહારુ ડહાપણુ આગલી શરતમાં છે, અને તે એ કે તત્કાળ કોલેજ સરકાર બંધાવે તે એનાં બાંધકામ અને પૂર્ણ સાધને સાથે જે ખર્ચ થાય તેને અર ભાગ દાતા આપશે, એ બાંધકામ તેમ જ સાધને વસાવવાની જવાબદારી જે શેઠ કસ્તુરભાઈને સોંપવામાં આવે તો જ. આ શરતમાં કોલેજની શ્રેષ્ઠતા, કાર્યની શઘ્રતા અને અપવ્યયથી બચત, એ ત્રણ તત્ત્વ સમાયેલાં છે. આપણે જાણીએ છીએ કે સરકાર ધારીએ તેટલી ઝડપથી કામ નથી કરી શકતી, અને એનાં કામમાં પરહાથે કામ લેવાનું હોઈ ઘણે અપવ્યય પણ થાય છે અને કેટલીક વાર તો એ કામ ઉચ્ચ કોટિનું ભાગ્યે જ હોય છે. આ સર્વસાધારણ અનુભવોનો લાભ લેવા માટે જ દાતાઓએ આ શરતો મૂકી છે. મારી દૃષ્ટિએ ભવિષ્યના દાતાઓ માટે આ વસ્તુ પદાર્થપાઠ જેવી ગણાવી જોઈએ. દાન કરવું એ તો સગુણ છે જ, પણ એની કાર્યસિદ્ધિની દષ્ટિએ યોગ્ય ચકી કરવી એ તેથી મે વિવેકપૂર્ણ સગુણ છે.
પૂ. ગાંધીજી વિદ્યમાન હતા ત્યારે પણ અમદાવાદમાં ચાલતી આ વિદ્યાપ્રવૃત્તિને ઉપસ્થિતિ દ્વારા આશીર્વાદ આપવાનો પ્રસંગ સુલભ રહ્યો ન હતો, પણ એમના જમણે હાથ જેવા વજીપુરુષ સરદારશ્રીએ આ પ્રવૃત્તિ પરત્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org