________________
સન્મતિત અને તેનું મહત્વ
[૯૨૯
કરવાની બહુ જૂની અને બળવતી ધારણાએ જ સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અમને પ્રેર્યા છે અને બાંધી રાખ્યા છે. ઉપલબ્ધ ટીકા અને તેનું મહત્વ
અત્યારે સન્માનિતની એક જ ટીકા સુલભ છે અને તે તાર્કિક અભયદેવની. આ ટીકા પહેલાં બીજી ઘણું ટીકાઓ તેના ઉપર લખાયેલી, પણ અભયદેવ પછી સન્મતિ ઉપર બીજ કેઈએ ટીકા લખી જણાતી નથી. શ્રી. અભયદેવ પહેલાં રચાયેલી ઘણી ટીકાઓમાં એક શ્વેતાંબરાચાર્ય તાર્કિક મલવારીની અને બીજી દિગંબરાચાર્ય સુમતિની હોવાનાં પ્રમાણ મળે છે આ બે ઉપરાંત બીજી ટીકાએ હતી કે નહિ ? અને હતી તે કોની કોની રચેલી ? વગેરે પ્રશ્નો હજી વિચારવાના બાકી જ છે. તેવી જ રીતે જેમ દિગંબરાચાર્ય અલંકે પિતાનાં પ્રકરણ ઉપર પણ લઘુત્તિઓ રચેલી છે તેમ ખુદ દિવાકરશ્રીએ પોતાના સન્મતિતર્ક ઉપર નાનીમેટી કઈ
પણ વૃત્તિ રચેલી હોવી જોઈએ એવી છે. લોયમનની સંભાવના પણ ખાસ વિચારણીય હોઈ સંધનને વિષય છે. ગમે તેમ છે, પણ આજે તે એકમાત્ર શ્રી. અભયદેવની ટીકા જ સન્મતિતમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. - ટીકાને સામાન્ય અર્થ એટલે જ છે કે તેના વડે મૂળ ગ્રંથમાં પ્રવેશ કરે. અલબત્ત, એ રીતે જોતાં ટીકા એ મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય, પણ પ્રસ્તુત ટીકાને માત્ર ઠાર કહેવું કે નહિ તે એક ખાસ સવાલ છે. સબબ એ છે કે પ્રસ્તુત ટીકા જેમ પ્રમાણમાં અતિવિશાળ છે તેમ મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાનામેટા દાર્શનિક વિષયની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે. તેથી એ ટીકા જ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયેલ છે. એ ટીકા દ્વારા મૂળ ગ્રંથમાં પ્રવેશ થવાને વાસ્તવિક સંભવ હોવાથી એ ટીકા મૂળ ગ્રંથનું દ્વાર છે; છતાં એ સ્વતંત્ર અધ્યયનની યોગ્યતા ધરાવતી હોવાથી મૂળ ગ્રંથની પેઠે એક સ્વતંત્ર જ કૃતિ છે, એમ કહેવું જરાયે અસ્થાને નથી.
૧૬૭ પદ્યો ઉપર પચીસ હજાર શ્લેકની પ્રસ્તુત ટીકામાં શ્રી. અભયદેવઅએિ પોતાને સમય સુધીમાં પ્રસિદ્ધ એવા તમામ ભારતીય દાર્શનિક વિષયોનો સંગ્રહ બહુ ખૂબીથી કર્યો છે, અને દરેક વાદને અંતે મૂળ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય અનેકાન્તવાદનું સમર્થન કરી પિતાની ટીકાને મૂળ ગ્રંથના બેયની સાધક બનાવી છે.
એક રીતે પ્રસ્તુત ટીકામાંની દાર્શનિક વિષય ઉપરની લાંબી ચર્ચાઓ
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org