SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ હ૩૦ ] દર્શન અને ચિંતન સાધારણ બુદ્ધિવાળા માટે અગમ્ય હેવાથી એ ટીકા કેટલાકને બહુ ઉપયોગી ન લાગે એ પણ સંભવ છે, છતાં ખરી રીતે એથી એનું મહત્ત્વ ઘટતું નથી, ઊલટું તે વધારે સિદ્ધ થાય છે. જગતમાં કાંઈ દરેક વસ્તુ સર્વગ્ય જ નથી હોતી અથવા જે સર્વગ્ય ન હોય અગર તે અલ્પભોગ્ય હોય તેની કિંમત ઓછી એ પણ નિયમ બાંધી ન શકાય. ખરી વસ્તુસ્થિતિ એવી છે કે પ્રત્યેક વસ્તુનું મહત્વ તેની કક્ષાના પ્રજનની સિદ્ધિ ઉપરથી જ અંકાવું જોઈએ. આ દૃષ્ટિએ જોતાં શ્રી. અભયદેવની ટીકાનું સ્થાન તેના ઉદેશ પ્રમાણે બહુ ઊંચું છે. બૌદ્ધદર્શન, ભિન્ન ભિન્ન વેદિક દર્શને અને દિગંબર સંપ્રદાયના નવમા સૈકા સુધીના જે મોટા મોટા આકર ગ્રંથો હતા તે બધાંના સંપૂર્ણ વિષયને સંગ્રહ કરી તેના ઉપર જૈનદષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાનું સ્થાપન કરવું એ જ શ્રી. અભયદેવસૂરિને ઉદ્દેશ તે ટીકા રચવામાં હતું, અને, પ્ર. લેયમન પિતાને અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે, તે ઉદ્દેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે. તેમના પિતાના સમય પહેલાં સંસ્કૃત દર્શન સાહિત્યમાં આકર ગ્રંથનું પ્રમાણ વધારેમાં વધારે ૧૮૦૦૦ શ્લેક જેટલું વધ્યું હતું. બૌદ્ધદર્શનને મહાન ગ્રંથ તત્ત્વસંગ્રહ લે કે વૈદિક દર્શનનાં વાર્તિક આદિ કોઈ ગ્રંથ લે, દિગબરાચાર્યના માર્તડાદિ ગ્રંથો લે કે શ્વેતાંબરાચાર્યના નયચક્ર આદિ ગ્રંથો લે. એ બધા લગભગ અઢાર હજાર બ્રેકપ્રમાણ છે. તે બધાથી કદ મોટું કરી પૂર્વકાલીન સમગ્ર ચર્ચાઓને સમાવેશ કરી અભયદેવસૂરિએ ૨૫૦૦૦ શ્લેકપ્રમાણ ટીકા રચી અને તેને દાર્શનિક સર્વ વિષયોનું સંગ્રહસ્થાન બનાવ્યું. આ મહાન ઉદેશ સિદ્ધ કરવા જતાં ટીકાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. જે એને એટલે વિસ્તાર કરવામાં તેઓએ કૃપણુતા કરી હતી તે દશમા સૈકા સુધીના ભારતીય સમગ્ર દાર્શનિક વિષયની વિકસિત ચર્ચા એક સ્થળે આપણને ભાગ્યે જ જોવા મળત. તેથી ટીકાનો વિસ્તાર એ એનું ખરું મહત્વ છે, કારણ કે તેથી જ તેને ઉદ્દેશ સધાય છે. અગિયારમા સૈકા પછી શ્વેતાંબર સાહિત્યમાં એવા પણ છે રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણ ગણું છે, છતાં એ મહાકાય ગ્રંથ અભયદેવસૂરિના સર્વસંગ્રહના ઋણી છે, કારણ કે પ્રરતુત ટીકામાં સંગૃહીત થયેલ વિષયો તેમને સરળતાથી મળી ગયા છે. એક બીજી દૃષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે, અને તે એ કે દશમા સૈકા પછીના ગ્રંથની જેમ તેમાં શબ્દાબર નથી. એમાં ભાષાનો પ્રસન્ન પ્રવાહ શરઋતુના નદીપ્રવાહની જેમ જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy