________________
સન્મતિતિક અને તેનું મહત્વ નિર્ભયતા તેઓમાં સ્વત:સિદ્ધ હતાં. તેથી જૈન આગમ જોતાવેંત જ બીજા કઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું ભગવાન–ભાવિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્તવૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઊઠી. પરિણામે તેઓએ દીર્ઘતપસ્વી મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પિતાની સમગ્ર શક્તિ એ શાસનને અપી, તેની વ્યવસ્થા અને પ્રભાવના કરવામાં જ પિતાના પાંડિત્યને ઉપગ કર્યો.
" એમની બત્રીસીઓ વાંચતાં ઉપરની બધી હકીકત સ્પષ્ટ જણાઈ આવે છે. અહિંસા અને અનેકાંતનું બીજાને ભાગ્યે જ સમજાયેલું તત્ત્વ તેઓને સરળતાથી સમજાયું. તેથી જ તેઓ દીર્ધતપસ્વીના બુદ્ધિગમ્ય તત્વસિદ્ધતિ ઉપર ફિદા થઈ એમની ગદ્દગદ ભક્તિથી સ્તુતિ કરવા મંડી ગયા. એ સ્તુતિમાં પણ તેમણે પિતાને બુદ્ધિપ્રભાવ અને તર્કવાદ સ્પષ્ટ કર્યો છે. એ સમજવા કેટલાંક બત્રીસીઓમાંનાં પો લેખના અંતમાં અર્થ સહિત નમૂનારૂપે આપવામાં આવે છે, જેને વાંચતા વાચકોને દિવાકરશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વની ખાતરી થશે અને તેમનું હાર્દ સમજાશે. સન્મતિનો પ્રચાર એ છે કેમ છે અને હવે તે વધે કેમ?
એકંદર રીતે જોતાં પ્રવચનસાર અને સન્મતિતર્ક એ બને છે મહત્વના છતાં તેમાં સન્મતિતર્કનું જ સ્થાન મુખ્ય આવે છે. બેમાંથી અભ્યાસ માટે જે એકની જ પસંદગી કરવી હોય તે સન્મતિતર્કની જ પસંદગી વિશેષ ફળદ્રુપ છે. પ્રવચનસારની પદ્યરચના કરતાં સન્મતિની પદ્યરચના પણ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, છતાં સન્મતિતકના અભ્યાસી પ્રવચનસારની “ઉપેક્ષા કરે તે ઘણું જ ગુમાવે એ ચેખું છે. - પ્રવચનસાર કરતાં સન્મતિતર્કનું સ્થાન વિશિષ્ટ હેવા છતાં અને બને મૂળ ગ્રંથનું પ્રમાણ લગભગ સરખું હોવા છતાં અભ્યાસક્રમમાં પ્રવચનસાર જેટલું વધારે પ્રચલિત છે તેટલો વધારે સન્મતિતર્ક અપ્રચલિત છે, તેનાં શાં કારણે ? એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ઉત્તર સ્પષ્ટ છે. પ્રવચનસારમાં માત્ર પ્રાચીન પદ્ધતિને અનુસરી જેન તો નિરૂપવામાં આવ્યાં છે, જ્યારે સન્મતિતર્કમાં તેનું નિરૂપણ નવીન રીતે કરવામાં આવ્યું છે. તેથી નવીન વિચારને અને નવી પદ્ધતિને સહન ન કરી શકનાર પ્રાચીન વર્ગે એ મહત્ત્વપૂર્ણ ગ્રંથથી જોઈતે લાભ ન ઉઠાવ્યો. બીજું કારણ એ છે કે પ્રવચનસાર ઉપરની - ટીકાઓ બહુ મોટી કે ભણનારને મૂંઝવે તેવી નથી; જ્યારે સન્મતિની ઉપલબ્ધ ટીકા અસાધારણું મહત્ત્વપૂર્ણ છતાં અતિવિસ્તૃત અને સાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org