SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૦] દર્શન અને ચિંતન જે જે વ્યક્તિએ એક કે બીજી બાબતમાં પિતાનો કાંઈક પણ ન ફાળે આપે તેવી પ્રતીતિકાર શોધ કરતી તે વ્યક્તિઓની આસપાસ શિષ્યમંડળ અને અનુયાયીમંડળ જામતું અને તેમાંથી તેની પરંપરા સ્થિર થતી. ઘણીવાર એક જ બાબત પર જુદા જુદા બે કે તેથી વધારે શે ની શોધ પરસ્પર જુદી પડતી અને પરસ્પર અથડાતી પણ ખરી. મૂળ શોધક પિતાની શોધને જ યથાર્થરૂપે પ્રતીતિકર થાય તે રીતે રજૂ કરતો, જ્યારે એનું શિષ્યમંડળ એ જ વસ્તુને વધારે તર્કપુરસર સ્થાપિત કરવા અને તેને પ્રચાર કરવા મથતું. અનુયાયીમંડળ મુખ્ય શોધક અને તેના શિષ્ય પરિવારમાં શ્રદ્ધા કેળવીને જ મુખ્યપણે તે શોધને પિષતું. આમ શોધ, પછી તે મુખ્યપણે પ્રમેય વસ્તુને લગતી હોય કે ચરિત્રને લગતી હોય, તેનું રક્ષણ, સંવર્ધન અને પલ્લવન થતું. આવી પ્રવૃત્તિ જ્યાં એક જ પ્રદેશમાં અનેકવિધ ચાલતી હોય ત્યાં શોધકના વિચારે વચ્ચે અથડામણી થાય એ સ્વાભાવિક છે. આવી અથડામણીએ મુખ્યપણે બે પ્રકારની જોવામાં આવે છેઃ એક સ્વપરંપરા પૂરતી અને બીજી અન્ય પરંપરાઓ સાથે. જ્યારે જ્યારે સ્વપરંપરા પૂરતી શોધને લગતી બાબતમાં ગુરુશિષ્ય વચ્ચે કે બ્રહ્મચારી શિષ્ય વચ્ચે ચર્ચા થતી ત્યારે ત્યારે તે ચર્ચા જય કે પરાજયમાં ન પરિણમતાં માત્ર તત્વજિજ્ઞાસાની તૃપ્તિમાં જ પરિણમતી, પણ જ્યારે જ્યારે બીજી પરંપરાઓ સાથે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે ઘણીવાર તે જય-પરાજયમાં જ પરિણામ પામતી, અને તે તત્ત્વબુભુસુની કથા મટી વિજિગીષની કથા બનતી. કથા ગમે તે હોય, પણ તે જે અમુક નિયમથી સીમિત હેય તે જ ફળદાયી નીવડે, એટલે સત્યશોધના ઉમેદવારેની ચર્ચામાંથી આપોઆપ તેમ જ બુદ્ધિપૂર્વક કેટલાક નિયમે નક્કી થયા; તેમ જ કયું જ્ઞાન પ્રમાણ, કયું અપ્રમાણ, એવાં કયાં અને કેટલા પ્રમાણે માનવાં અને કયાં ન માનવા ઈત્યાદિ વિચાર પણ થવા લાગે. આને પરિણામે એક બાજુથી પ્રમાણુવિદ્યા સ્થિર થતી ગઈ અને બીજી બાજુથી તેની જ અંગભૂત ન્યાય, તર્ક કે આન્વીક્ષિકી વિદ્યા સ્થિર થતી ચાલી. આ બન્ને વિદ્યાઓને ઉપગ આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ જ ભૌતિક કહેવાતા બધા જ વ્યાવહારિક શાસ્ત્રોમાં તે રહ્યો. એક તે શોધના વિષયે જ ઘણું, બીજું એક એક વિષય પર જુદી પડતી માન્યતાઓ ધણી અને એક એક શોધ તેમ જ તેના વિષયનું અમુક અંશે જુદું જુદું નિરૂપણ કરનાર પરંપરાઓ પણ ઘણી. તેથી કરીને ૧. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. ૧૦૮-૨૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy