SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુને પરિચય [ ૯૦૧ સ્વાભાવિકપણે જ પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પણ અનેકવિધ પરંપરાઓ ઊભી થતી ગઈ મનુષ્યનું જન્મસિદ્ધ સહજ વલણ શ્રદ્ધાનુસારી હેઈ વારસામાંથી કે પરિસ્થિતિમાંથી જે મળ્યું હોય તેને ચલાવી કે નભાવી લેવામાં જ તે ચરિતાર્થતા અનુભવે છે. આમ છતાં કેટલાક અપવાદભૂત દાખલાઓ એવા પણ બને છે કે તેમાં અમુક પુરુષો વારસામાં મળેલ સંસ્કારનું ઊંડું પરીક્ષણ કરે છે અને ઘણીવાર એ પરીક્ષાને પરિણામે માત્ર શ્રદ્ધાવી વિચારની સામે થાય છે ને તેની વિરુદ્ધ નવો જ વિચાર મૂકે છે. નવા વિચારની પૃષ્ઠભૂમિકા મુખ્યપણે બુદ્ધિની શુદ્ધિ અને તર્કબળ તેમ જ ચરિત્રબળ હોય છે. જ્યારે શરૂઆતમાં શ્રદ્ધા ઉપર બુદ્ધિ અને તર્ક પ્રહાર કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રદ્ધાઆવી વિચારે બુદ્ધિ અને તર્કજીવી વિચારેને અવગણે છે, એટલું જ નહિ, પણ નિંદા સુધ્ધાં કરે છે. ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં પહેલાં પણ આ ભૂમિકા પસાર થઈ છે. તેથી જ આપણે બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ બધી પરંપરાએના પ્રાચીન સાહિત્યમાં તર્કવિદ્યાની નિન્દા સાંભળીએ છીએ. પણ આ ભૂમિકા લાંબે વખત ટક્તી નથી. શ્રદ્ધા અને બુદ્ધિ બને છેવટે તો જીવનના અવિભાજ્ય અંગ હઈ પરસ્પર માંડવાળ કરે છે ને અથડામણી ન થાય તે રીતે પિતા પોતાના વિષયની મર્યાદા આંકે છે. આ જ શ્રદ્ધા અને બુદ્ધિના સમન્વયની ભૂમિકા કહેવાય. એને જ શાસ્ત્રોમાં અહેતુવાદ–હેતુવાદ તરીકે ઓળખાવેલ છે; અને છેવટે બધી પરંપરાઓએ એ બન્ને વદને માન્ય રાખી પિતપોતાની મર્યાદામાં તેના વિષયની સીમા બાંધી છે. આ સમન્વયની ભૂમિકામાં જ્યારે શ્રદ્ધાળવી વિચારકેએ તર્કવિદ્યાની પ્રતિષ્ઠા કરી ત્યારે તેનું પિષણ વધારે થવા લાગ્યું. પછી તે આધ્યાત્મિક કે ભૌતિક બધી જ શેધના ક્ષેત્રમાં તર્કવિદ્યાને પણ અભ્યાસ વધ્યો અને તેનાં શાસ્ત્રો પણ રચાતાં ચાલ્યાં. કઈ પરંપરાએ પહેલાં તે કેઈએ પછી, પણ તર્કવિદ્યાને શાસ્ત્રો રચવામાં ઓછોવતે ફાળો આપે જ છે. પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પ્રાચીન ફાળો મુખ્યપણે ન્યાયપરંપરાના પુરસ્કર્તાઓને જ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં કે ચરક જેવા શારીરવિજ્ઞાનશાસ્ત્રમાં જે તત્રયુક્તિને નામે સંગ્રહ થયો છે તે મૂળમાં મેટે ભાગે ન્યાયપરંપરાનો ફાળો છે. પૂર્વમીમાંસક 4. History of Indian Logic, p. 36. ૨. દા. ત. જુઓ સન્મતિ ૩,૪૩-૪૫. ૩. અર્થશાસ્ત્ર ૨૪૧. (ત્રિવેન્દ્રમ LXXXII) પ્રકરણ ૧૮૦. વિદ્યાભૂષણ : History of Indian Logic, p. 24, તે જ વિમાનસ્થાન, અ૮. History of Indian Logic, P. 28. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy