________________
છ૪૨]
દર્શન અને ચિંતન ગણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પિતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કાંઈ પણ મતભેદવાળું જણાયેલું નહિ. આજ કારણથી શ્રીસિદ્ધસેન ગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના ભેદ સંબધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. શ્રી. સિદ્ધસેન ગણિ ભાષ્યગત “સામાયિક.. પ્રત્યાખ્યાન' આદિ શબ્દોના અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન...પ્રત્યાખાન અધ્યયન' એ પ્રમાણે જ કરે છે; અને જાપાનન્તર્યાયિમિઃ' એ પદને અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જંબુ, પ્રભવ વગેરે એટલે જ કરે છે. અને તે દ્વારા તેઓશ્રી પિતાનું ખાસ મન્તવ્ય સૂચવે છે કે અંગબાહ્ય, જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે, ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબૂ તથા પ્રભવ આદિ અન્ય આચાર્ય કૃત છે. તેઓની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે:
समभावो यत्राध्ययने वयते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति-सामायिकमिति । एव सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विशतिस्तव इति । वन्दनम् -प्रणामः, स कस्मै कार्यः कस्मै च नेति यत्र वण्यते तत् वन्दनम्। असंयमस्थानं राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पारस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिगख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् ।
ટે. સ્ત્રી પુરુ પ્રાશિત તરવાર્થમાણીઅ, g૦ • કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે “સામાયિક, ચતુર્વિશતિસ્તવ... પ્રત્યાખ્યાત' આદિ શબ્દો છે તે આવશ્યકના અધ્યયન–બેધક નહિ, પરનું તે તે અધ્યયનની નિયુક્તિના બોધક છે; અર્થાત અંગબાહ્યમાં આવશ્યકનિયુંક્ત જ ગણવી જોઈએ. તેઓની આ દલીલ કેટલી ટકી શકે છે તે પણ જોઈએ. " (#) જે વાચકશ્રીને સામાયિકાદિ પદોથી સામાયિક અધ્યયન આદિની નિયંતિ જ વિવક્ષિત હોય તે તેઓશ્રી પિતે જ નિર્યુક્તિનું સ્પષ્ટ કથન કરતાં લાક્ષણિક પ્રવેગ શા માટે કરે?
(a) કઈ પણ શબ્દને લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થને બાધ વો જ જોઈએ. જ્યાં સુધી શબ્દ મૂળ અર્થ બાધિત ન થતો હોય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org