SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૮ ] દર્શન અને ચિંતન નિમિત્તે જે અપ્રાપ્ય સામગ્રી મેળવવા જહેમત ઉઠાવી છે તે સંશોધનકાર્યના રસિકને આકર્ષે તેવી છે. ધીરુભાઈએ મણિલાલની હસ્તલિખિત સામગ્રી જ્યાં હોય ત્યાંથી મેળવવા બહુ યત્ન કરેલ. વડોદરાના શ્રી. જગજીવનદાસ દયાળજી, જે મણિલાલના સમકાલીન હતા, તેમની પાસે “નૃસિંહાવતાર' ની મણિલાલના હસ્તાક્ષરની પિથી હતીજે અન્યત્ર તદ્દન અપ્રાપ્ય હતી તે પોથી લેખકે ગજા ઉપરાંત ખર્ચ કરીને પણ ખરીદી અને વધારામાં છપાવી પણ દીધી. મણિલાલના પૌત્રને શ્રમપૂર્વક સમજાવી તેમને ત્યાં પડેલ અને જર્જરિતપ્રાય થયેલ મણિલાલને મુદ્રિત-લિખિત સંગ્રહ મેળવ્યો. તેમાંથી મણિલાલની હસ્તલિખિત અનેક દુર્લભ ચીજો મળી, જેમાં તેમને પત્રવ્યવહાર, વસિયતનામું અને અનેક ગ્રંથ ઉપર તેમણે કરેલી નેંધ કે ટિપણેને સમાવેશ થાય છે. તેમણે આપેલ અંગ્રેજી વ્યાખ્યાને, જે માત્ર પિતા માટે જ છપાવેલ, તેની અન્યત્ર સર્વથા અપ્રાપ્ય એવી નકલે મળી; જેમકે “ધ નેસેસીટી ઍફ સ્પીરીચ્યલ કલ્ચર ', “ધ ડૉક્ટીન ઓફ માયા” ઈત્યાદિ. આ આખો સંગ્રહ ગુ. વિ. સભામાં સુરક્ષિત રહે તે દૃષ્ટિએ નિબંધલેખકે મણિલાલના પૌત્રને સમજાવી ત્યાં સોંપાવ્યો છે. મણિલાલનું આત્મચરિત અમુક અંશે તે “વસંત” માં આનંદશંકરભાઈએ પ્રસિદ્ધ કરેલું, પણ એ આત્મચરિત આખું પિતાની પાસે હોવા છતાં તેમણે સહેતુક પ્રસિદ્ધ નહિ કરેલું અને પિતાના વારસદારોને પ્રસિદ્ધ ન કરવાની સૂચના પણ કરેલી. આ આખું આત્મચરિત મણિલાલની હસ્તલિપિમાં છે. તે લેખકે પૂરેપૂરું જોયું અને તેને પ્રસ્તુત નિબંધમાં આવશ્યક ઉપયોગ કર્યો છે. સંશોધનકાર્યનાં રસ અને દૃષ્ટિ વિના ભાગ્યે જ કોઈ પરીક્ષાના નિબંધની તૈયારી કરતી વખતે આટલો શ્રમ લે અને સમય ખર્ચે. કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે” એ કાવ્ય ગુજરાતીઓની જીભે રમતું. અત્યારના સિનેમાયુગ પહેલાં તે જ્યાં ત્યાં એ ગવાતું સંભળાતું. એ કાવ્ય ગાંધીજીને એટલું બધું રુચેલું કે તેમણે એના ઉપર વિવેચન લખી આફ્રિકામાં હતા ત્યારે “ઇન્ડિયન ઓપિનિયન” પત્રમાં પ્રસિદ્ધ કરેલું. પરંતુ એ વિવેચનની નકલ દુર્લભ હતી, જે નિબંધલેખકે ગાંધીજીના પુત્ર શ્રી. રામદાસભાઈ પાસેથી મેળવી તેને ઉપયોગ કર્યો છે. એટલું જ નહિ, પણ એ કાવ્યની હસ્તલિખિત નકલ આત્મચરિતમાંથી ઉતારી લીધી અને અત્યાર લગી જે એને અશુદ્ધ પાઠ ચાલ્યો આવતે તેનું શુદ્ધીકરણ પણ કર્યું, જે પ્રસ્તુત નિબંધના કવિતાવાળા પ્રકરણમાં આપેલ છે. આ શુદ્ધીકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy