SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૬] દર્શન અને ચિંતન મણિલાલે લગભગ ૨૪૦ જેટલાં પુસ્તકનું અવલેકન–વિવેચન કર્યું છે. એ અવલોકન માત્ર સ્થૂળ કે પહોંચ પૂરતું નહિ, પણ તે તે પુસ્તક બરાબર વાંચી-સમજી તે વિશે પોતાને તટસ્થપણે જે સૂચવવું છે તે સૂચવ્યું છે. અને ઘણું વાર તેમણે પિતાના પ્રતિપક્ષી લેખકનાં પુસ્તકે વિશે પણ ઊંચે અભિપ્રાય દર્શાવ્યા છે. આ વસ્તુ લેખકે નિબંધમાં ઉત્તમ રીતે રજૂ કરી છે. (દા. ત. જુઓ પૃ. ૨૫૯ પદને “અનુભવિકા ” વિશે ઉલ્લેખ) બીજાં બધાં કામે ઉપરાંત મણિલાલના જે કામે મારું મન વધારે જીત્યું છે તે કામ પાટણના ભંડારનું અવલોકનસંશાધન. મણિલાલ પહેલાં ડ, ફાર્બસ, બુહર અને ભાંડારકરે પાટણના ભંડારે અવલોકેલા, પણ તેમની પછી તરત જ મણિલાલ એ કામગીરી હાથમાં લે છે. બીજા બધા કરતાં ઓછી સગવડ અને નાદુરસ્ત તબિયત છતાં તેમણે લગભગ આઠ માસ લગી રાત અને દિવસ એકધારું ભંડારાનું વ્યવસ્થિત કામ કર્યું. જ્યારે કઈ ભંડારે ઉઘાડવા રાજી નહિ, અને ઉધાડે તેય પૂરું બતાવે નહિ, બેસવાની જગ્યા પણ અંધારી અને ભેજવાળી, વળી થોડા વખત માટે ભંડાર ઉઘાડે તેય મકાને લિખિત થિીઓ લઈ જવા આપે નહિ, નકલ કરનારની પણ પૂરી સગવડ નહિ, ઈત્યાદિ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે ૧૨ ભંડારેમાંના મળ્યા તેટલા ગ્રંથનું પાને પાનું જોઈ તેની મુદ્દાવાર વિગતે યાદી તૈયાર કરી. એટલું જ નહિ, પણ તે ઉપરથી સર સયાજીરાવ પાસે તેમણે એક નિવેદન રજૂ કર્યું, જેમાં ગાયકવાડ સરકારે ભંડારોના ઉદ્ધાર વિશે શું શું કરવું, ક્યા કયા ગ્રંથે પ્રસિદ્ધ કરવા, કયાં ક્યાં ભાષાંતરે કરાવવાં અને ક્યા કયા ગ્રંથાનો માત્ર સારા પ્રગટ કરવો ઈત્યાદિ સૂચના હતી. એ સૂચનાને આધારે જ સર સયાજીરાવે પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ એરીએન્ટલ સિરીઝ એ બે પ્રવૃત્તિઓ શરૂ કરી, જે ઉત્તરોત્તર વિકસતી રહી છે. મણિલાલ માત્ર સૂચના કરીને જ બેસી ન રહ્યા, પણ તેમણે જાતે જ એ કામ પ્રારંવ્યું. તેના ફળરૂપે અનેકાંતવાદપ્રવેશ”, “ઠયાશ્રય”, “કુમારપાળચરિત', “ષડ્રદર્શનસમુચ્ચય', “ભોજપ્રબંધ', “ઋતિસારસમુદ્ધરણ' આદિ ગ્રંથનાં આધુનિક ગુજરાતીમાં સર્વપ્રથમ ભાષાંતર પ્રસ્તાવના સહ પ્રસિદ્ધ થયાં અને સંસ્કૃત–પ્રાકૃત પ્રાચીન - ગ્રંથનાં ભાષાંતર કરવાને માર્ગ મેકળે થયે. મણિલાલે પિતાની સૂચનાને મૂર્ત રૂપ આપવા “પ્રબંધચિંતામણિ” વગેરે ૧૯ થેનો સાર ગુજરાતીમાં લખી બે ભાગમાં પ્રસિદ્ધ કર્યો. એ જ રીતે તેમણે ભવભૂતિનાં ત્રણે નાટકનાં ગુજરાતીમાં ભાષાંતર કર્યો, જેમાં “મહાવીરચરિત” અદ્યાપિ અપ્રસિદ્ધ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy