SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૪ ] દર્શન અને ચિંતન ( દા. ત. જુએ પૃ. ૧૦૫ પરની કાંત-મણિલાલ-વિવાદની સમાલાચના. એ જ રીતે રમણભાઈ સાથેના વિવાદમાં મણિલાલના પ્રાર્થના-વિષયક દષ્ટિબિન્દુની ટીકા; જુએ પૃ. ૧૨૫-૧૨૯.) આ જ પ્રકરણમાં શ્રી. રમણભાઈ નીલકંઠું અને કવિ કાંત જેવા સાથે થયેલી મણિલાલની લાંખી ચર્ચાના ઉપર પણ નિબંધલેખકે પૂરા પ્રકાશ પાડયો છે. આ કામગીરી બજાવવા જતાં લેખકને અનેક જૂની ફાઈલો સાંગાપાંગ ઉથલાવવી પડી છે. રમણભાઈ જેવા પ્રખર સાહિત્યિક અને કુશળ વકીલ સાથેની વર્ષો લગી ચાલેલી ચર્ચામાં શું તથ્ય છે તે લેખકે નિમધમાં તટસ્થપણે તારવી ખતાવ્યુ` છે. (જુએ પૃ. ૧૩૩-૧૩૫) શ્રી. સજાનાએ મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનમાં રમણુભાઇ અને મણિલાલની ‘ સ્કોલર ’ તરીકેની તુલના કરતાં જે ભ્રમ ઊભા કર્યાં છે તેનું નિરસન પ્રસ્તુત નિબંધમાં ઠીક ઠીક દલીલથી કરવામાં આવ્યું છે; અને છતાંયે, શ્રી. સજાનાની કેટલીક ટીકાના સ્વીકાર પણ કર્યો છે, જે સમાલાચનાનું સમતાલપણું સૂચવે છે.. (જુએ પૃ. ૧૩૬-૧૯૪૧) વળી, એ જ પ્રકરણમાં શ્રી. ગેાવનરામ અને આન ંદશંકર સાથે મણિલાલની ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં તુલના પણ કરવામાં આવી છે, જે પરથી મણિલાલનું ધર્મ અને તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ગુજરાતી વિચારક તરીકે શું સ્થાન છે તેના ચોક્કસ ખ્યાલ મળે છે. (જુએ પૃ. ૧૪૩–૧પર ) . સમાજ, શિક્ષણ અને રાજકારણ જેવા વિષયેામાં પણ મણિલાલ અવ્યાહત ગતિએ વિચારે છે અને લખે છે. એ વિશેનાં તેમનાં પૂર્વ અને પશ્ચિમ’, ‘નારીપ્રતિષ્ઠા’, ‘સુદર્શન ગદ્યાવલિ ’ માંના લેખા આદિ બધાં જ લખાણા લઈ લેખકે તે તે ક્ષેત્રમાં મણિલાલની કેવી દૃષ્ટિ હતી અને તે સમાજ, શિક્ષણ કે રાજકારણમાં શું પરિવર્તન કરવા ઇચ્છતા તે બધું લાગતાવળગતા વિચારકા અને ચાલુ પ્રણાલીઓ સાથે તુલના કરી દર્શાવ્યું છે. તે કાળે કાઈ વિશિષ્ટ સાક્ષર સીધી રીતે રાજકારણની ચર્ચા ભાગ્યે જ કરતા; ત્યારે મણિલાલ એ વિશે પેાતાની ચોક્કસ દૃષ્ટિ નિયપણે રજૂ કરે છે, એ જાણતાં જ એમ થઈ આવે છે કે ગુજરાતે માત્ર સામાજિક સુધારકાને જ જન્મ નથી આપ્યા, પણ એણે ગઈ સદીના રાજકીય દૃષ્ટિએ ખાયેલ સાક્ષરવર્યંમાં પણ એક તેજસ્વી- મૂતિ જન્માવી છે. પ્રકરણ ચોથામાં સાહિત્યકૃતિઓની સમાલાચના છે. તેમાં મણિલાલનાં નાટક, નવલકકથા, આત્મચરિત્ર, નિબંધ, વિવેચનલેખે . સ ંશાધન, ભાષાંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy