SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ર ] દર્શન અને ચિંતન ઓગણીસમ સેકાના પ્રારંભથી તેના અંત સુધીમાં આખા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં જે પૂર્વ-પશ્ચિમના યોગે નવાજનાને સંધર્ષ ચાલતે, તેનું સંસ્કાર પીઠિકામાં સંક્ષિપ્ત છતાં સાંગોપાંગ નિરૂપણ છે. એક વર્ગ દેશમાં એ હતું, જે શિક્ષણ, સમાજ, સાહિત્ય, ભાષા, રાજ્ય બધાં ક્ષેત્રે પશ્ચિમની શક્તિઓ અને તેજસ્વિતાથી અંજાઈ પાશ્ચાત્ય સંસ્કારનો અનન્ય ભક્ત થયેલે; જ્યારે બીજો વર્ગ તેથી સાવ જુદી વૃત્તિ સેવતે. તે વર્ગ એ રૂઢિચુસ્ત કે જાણે પશ્ચિમમાંથી કાંઈ લેવા જેવું છે જ નહિ અને જે ચાલ્યું આવે છે તેને જ વળગી રહેવું. પરંતુ ત્રીજે વર્ગ–ભલે તે નાને હોય છતાં—એ હતું, જે એમ માનતો કે પશ્ચિમમાંથી ઘણું લેવા જેવું છે, તે લીધા વિના ભારતીય સંસ્કૃતિ વધારે ઉદાત્ત બની પણ નહિ શકે. તેમ છતાં, તે વર્ગ ઊંડી દષ્ટિથી એ પણ જોઈ શકતો કે પાશ્ચાત્ય સંસ્કારોને આંધળિયાં કરી ઝીલવા અને પચાવવા એમાં બહુ જોખમ છે. તે વર્ગ પિતાના હજાર વર્ષના સાંસ્કૃતિક વારસાનું ખરું મહત્ત્વ સમજતો. તેથી તે વારસાના મૂલ્યવાન અને સ્થાયી અંશને કોઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે, પણ નવા જમાનામાં ઊભા રહેવા માટે જે ખૂટતું દેખાય તેની પૂર્તિ અથે, પાશ્ચાત્ય સંસ્કારપ્રવાહમાંથી બધું જ લેવા તૈયાર હતા. મણિલાલ આ ત્રીજા વર્ગના વિશિષ્ટ પ્રતિનિધિ હતા. એક તો એમણે ભારતીય પ્રાચીનતમ સાહિત્યને સીધો પરિચય કર્યો હતો. એ સાહિત્યની વિવિધ શાખાઓની ગુણવત્તાનું પણ એમને ભાન હતું. એમની પ્રતિભા એ જોઈ શકતી કે ભારતીય સાહિત્ય અને સંસ્કારરાશિમાં શું શું સ્થાયી તત્ત્વ છે. તેથી એમણે પિતાનું જીવનકાર્ય નક્કી કરતાં પૂરે વિચાર કરી લીધો અને તે પ્રમાણે આખું જીવન જરા પણ પીછેહઠ કર્યા વિના વ્યતીત કર્યું. પિતે સ્વીકારેલ જીવનકાર્યની સિદ્ધિ અર્થે એમણે પિતાના અલ્પ કહી શકાય એવા આયુષ્ય દરમ્યાન એટલા બધા વિષય અને ક્ષેત્રે ખેડડ્યાં છે કે તેને વિચાર કરતાં મારા જેવો માણસ તે આજે બની જાય છે. મણિલાલને ન હતી શારીરિક સ્વસ્થતા કે ન હતી કૌટુંબિક અને જ્ઞાતિજનની કશી અનુકૂળતા. એટલું જ નહિ, તેમને પ્રમાણમાં આર્થિક સંકડામણ પણ હતી જ. પિતાના સ્વમાની અને કેઈની ખુશામત ન કરવાની મક્કમ વલણને લીધે જ્યાં ત્યાં માર્ગ મોકળે કરવાનું પણ તેમને માટે સરળ ન હતું. એવી અકથ્ય અગવડે અને મૂંઝવણે વચ્ચે જે વ્યક્તિએ લગભગ પંદર વર્ષ જેટલા ગાળામાં સાહિત્ય અને જીવનને સ્પર્શતા બધા જ પ્રદેશને આવરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy