SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાગીણું સંશોધન અને સમાલોચના . [ ૮૬૧અને કાર્યનું પ્રસ્તુત નિબધ દ્વારા જે પરિશીલન થયું તે દ્વારા મણિલાલની અસાધારણ પ્રતિભા અને શક્તિની મારા ઉપર ઊંડી છાપ પડી. અને બીજું, શ્રી. ધીરુભાઈએ નિબંધ લખવા પાછળ જે વાચન, ચિંતન અને વિષયને પૂરે ન્યાય આપવા ખાતર શક્તિ અને સમયની પરવા કર્યા વિના છૂટીછવાઈ વીખરાયેલી પ્રાપ્ય સામગ્રીને મેળવવા, તેમ જ સર્વથા અપ્રાપ્ય જેવી સામગ્રીને શોધી તેને ઉપયોગ કરવા જહેમત લીધી છે, તેની પણ મારા ઉપર ઊંડી. છાપ પડી છે. અધ્યયન, મનન-ચિંતન, તુલના, સંબંધ ધરાવતી સામગ્રી જે મળતી હોય તેને ઉપયોગ અને અપ્રાપ્ય હોય તેની શોધ કરવી, ઈત્યાદિ અનેક અંગે. સંશોધનકાર્યમાં આવશ્યક છે. પ્રસ્તુત નિબંધ સાંગે પાંગ વાંચતાં કોઈ પણ વિચારકને એ દઢ પ્રતીતિ થયા વિના નહિ રહે કે નિબંધના લેખકે સંશોધનને સર્વાગીણ બનાવવામાં કશી કચાશ રાખી નથી. પ્રત્યેક વિષયને લગતી કૃતિઓની તુલના અને પરીક્ષા કરતી વખતે લેખકે તેની મૂલવણીમાં કેટલી તટસ્થતા વાપરી છે એને પણ ખ્યાલ વાચકને મૂળ નિબંધ અને સ્થળે સ્થળે કરેલાં ટિપ્પણે ઉપરથી આવ્યા વિના નહિ રહે. મણિલાલને યથાર્થ સમજવા માટે તે આ આખો નિંબધ જ ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. ગયા સૈકાના એ અસાધારણ વિદ્વાન, બહુશ્રુત તેમ જ અનેક વિષયમાં સ્વતંત્ર વિહાર કરનાર એક સાક્ષર હતા. તેમ છતાં, ગણ્યાગાંઠયા વિદ્વાને સિવાય એમને વિશે લેકે બહુ ઓછું જાણે છે. એવી. સ્થિતિમાં એમને પૂરો અને યથાર્થ પરિચય કરાવતે પ્રસ્તુત નિબંધ વિદ્વાને, ઉપરાંત સાધારણ જિજ્ઞાસુવર્ગને પણ બહુ ઉપયેગી થશે એ વિશે મને શંકા નથી. જો આપણે આપણું વિચારક અને લેખકવર્ગને સાચો અને સ્પષ્ટ ઈતિહાસ સાચવી રાખવો હોય, તેમ જ તેમાંથી પ્રેરણા મેળવી નવી પેઢીએ પ્રગતિ કરવી હોય, તે જરૂરનું છે કે કોઈ અભ્યાસી તે તે વ્યક્તિ વિશે પૂરું નિરૂપણ કરે. પ્રસ્તુત નિબંધ એવા ઈતિહાસની એક સાચી કડી બની રહે છે, તેથી આવકારપાત્ર છે. પ્રસ્તુત નિબંધમાં સાત પ્રકરણો છે. પહેલું પ્રકરણ સંસ્કાર પીઠિકા. બીજું ધર્મતત્ત્વચર્ચા. ત્રીજુ સમાજ, શિક્ષણ અને રાજકારણને લગતું. ચોથું સાહિત્યકૃતિઓને લગતું. પાંચમું ગણાશેલીને લગતું. છઠું કવિતા વિશેનું અને સાતમું ઉપસંહાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy