________________
બિંદુમાં સિંધુ
[ ૮૫૭
મનેભૂમિમાં પડેલ સ્મૃતિખીજનું આવું વિકસિત વિચાર-વૃક્ષ જન્માવવાનું સામર્થ્ય ન હેાત તે આ યાત્રા આપણને સુલભ ન થાત.
સ્મૃતિ, તર્ક, કલ્પના, સમજણુ અને જિજ્ઞાસા—એ બધાંનાં ખીજો તેમને જન્મસિદ્દ કે વારસાગત છે, પણ તે નાનાવિધ સામગ્રી પામી યથાકાળે ખૂબ ફાલ્યાં અને ફૂલ્યાં છે, જેની પ્રતીતિ પ્રસ્તુત સંગ્રહ કરાવે છે અને માનસિક કે આધ્યાત્મિક વિકાસમાં પણ ભૌતિક સૃષ્ટિની પેઠે જ કાય કારણભાવના પ્રવર્તતા નિયમને ખુલાસા કરે છે,
Ο
કાકા પાતે જીવનપર’પરા ’ મથાળાવાળા લેખમાં પુનર્જન્મના સ્વરૂપ વિશેની અનેક કલ્પનાએ આપી અત્યારનું પોતાનુ વલણ રજૂ કરે છે. એ ગમે તેમ હા, પણ એટલું તે નિર્વિવાદ સત્ય છે કે નાલતો વિદ્યતે માત્રઃ । જે અસ્તિત્વમાં આવે છે તેનું અજ્ઞાત અને સૂક્ષ્મ ખીજ અવશ્ય હેાય જ છે. જે વસ્તુ પ્રસ્તુત યાત્રામાં વિશાળ આકારે દેખા દે છે, તેનાં બીજો તેમનામાં જન્મસિદ્ધ હતાં, અને તેથી જ તે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિકસ્યાં.
કાકા કવિ છે, કળાકાર છે, ક શિલ્પી છે, નિર્માણુસ્થપતિ છે, તત્ત્વજ્ઞ છે, વિવેચક છે, ભાગી છે, ત્યાગી છે, ગૃહસ્થ છે, સાધક છે—એમ અનેક છે’તું ભાન આ યાત્રાનાં લખાણે, તેમનાં બીજાં લખાણાની જેમ જ, કરાવે છે. પરંતુ આ યાત્રાની વિશેષતા મને લાગી છે તે તે એ કે એમણે સાદા અને સાવ સાદા દેખાય તેવા પ્રસંગામાંથી જીવનસ્પર્શી વ્યાપક ધર્મસંસ્કાર તારવ્યા છે અને તે જે રીતે તારવ્યા, જે રીતે પચાવ્યું અને જે રીતે અત્યારે જીવનમાં કામ કરી રહ્યો છે તેનું સુરેખ ચિત્ર આપ્યું છે. આ લખાણામાં કેટલાક વિષયેા પર સામાન્ય નિબંધો પણ તેમણે સધર્યાં છે. એ નિધાનુ નવનીત જોકે જીવનગત ઘટનાઓના મનમાંથી જ ઉત્પન્ન થયું છે, છતાં તેમાં કાઈ ખાસ ખાસ ધટનાઓને ઉલ્લેખ ન હેાવાથી તે ધટનાનિરપેક્ષ વિચાર ભાસે છે. હું તો કાકાની ઉપમાઓ, ભાષાવિહાર, નવ નવ કલ્પનાએ, વિચારનાં ઊંડાણા—એ અધું જોઉં ધ્રુ ત્યારે એમને નવયુગીન વ્યાસ-વાલ્મીકિ તરીકે જ ઓળખાવવા લલચાઈ જાઉં છું.
કાકા ‘દત્તાત્રેય ' છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહિ તે ઓછા ગુરુ તા નહિ કર્યાં હોય એવી મારી ધારણા છે. તે ગમે તેમ હા, પણ તેમના અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ધણી બાબતમાં ઘણું અતર છે. એ કહેવાની જરૂર ન હેાય: પણ પ્રસ્તત
ધર્મોનભવની સ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
6
www.jainelibrary.org