SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૬ ] દન અને ચિંતન જાવવાનું કામ એટલું સહેલું નથી. તેમ છતાં વિશ્વમાં કેટલીક વિભૂતિ એવી મળી આવે છે કે જેના ઉદાહરણથી આવી સૂક્ષ્મ પ્રક્રિયા પણ કાંઈક સહેલાઈથી સમજી શકાય. મને લાગે છે, કાકા આવી એક વિભૂતિ છે અને એ વિભૂતિ-તત્ત્વનું દર્શન તેમનાં ખીજા સેંકડા લખાણામાં થાય છે તે કરતાં કાંઈક જુદી રીતે અને કાંઈક અકલ્પ્ય રીતે પ્રસ્તુત લખાણામાં થાય છે. છેક શૈશવકાળમાં બનેલી નાનીમોટી ઘટનાઓ કાને યાદ રહે છે? પણ આપણે પ્રસ્તુત ધર્મોનુભવનાં લખાણામાં જોઈએ છીએ કે કાકાના શિશુમાનસ ઉપર તે વખતની ઘટનાઓની છાપ એવી સચોટપણે ઊડી છે કે તે છાપ ઉપર આગલાં વર્ષોમાં અને વિકસતી બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાના કાળમાં તેઓ બહુ મુક્તપણે વિચાર કરી શકયા છે. છેક શૈશવકાળ કે જ્યારે તે નિશાળે પણ બેઠા ન હતા ત્યારે અને પૂરું ખેલતાં પણ ભાગ્યે જ જાણતા ત્યારે તેમણે જે જે જોયું, સાંભળ્યું અને તત્કાલીન શક્તિ પ્રમાણે જે કાલાધેલા તર્કો અને પ્રશ્નો કર્યાં, અધૂરાં કે સાચાંખાટાં જે અનુમાને તારવ્યાં તે બધાંની છાપે તેમના સ્મૃતિભંડારમાં સધરાતી ગઈ અને ઉત્તરાત્તર તે જ છાપા ઉપર તેઓ પાતે જ મનમાં તે મનમાં વિચારનું નવું નવું ભાષ્ય રચતા ગયા. સામાન્ય હકીકતો જે આપણા સહુનાં જીવનમાં બને છે તેવી જ તેમણે પકડી છે. કુટુંબ, સમાજ, શાળા, શિક્ષક, પટાવાળો, પુરાણી, પૂજારી, મંદિર, મૂર્તિ, પૂજાના ક્રિયાકાંડા ઇત્યાદિ બધું જ આપણું સહુને નાની ઉંમરથી એક અથવા ખીજી રીતે પ્રાપ્ત હેાય છે. પણ એની ખાલ્વકાલીન છાપા ટલાનાં મનમાં ઊઠે છે? અને ઊઠતી હાય. તે! તે છાપાને યાદ કરી, તેનું પૃથક્કરણ કરી, તેનું મૂળ આપણામાંથી કાણ શાધે છે? અને એવા મૂળને શોધી, અંગત ગણાતા અનુભવમાંથી સર્વોપયોગી અને સર્વકાલીન ધર્માનુભવ કાણુ તારવી શકે છે? આ બધું તદ્દન વિરલ, છતાં આપણે કાકાના જીવનમાં આ બધી પ્રક્રિયા ઘટતી જોઈ એ છીએ. · સ્મરણયાત્રા ' માં તેમણે અમુક વર્ષો સુધીના અનુભવે યાદ કર્યો છે, તેના ઉપર પ્રૌઢ ઔંમરની ટીકાઓ પણ કરી છે. પરંતુ આ ધર્માનુભવની યાત્રામાં તે સાવ શૈશવ અવસ્થાથી માંડી પેાતાનાં સ્મરણાની યાત્રા કરી છે. જ્યારે તે શિશુ હશે, કાર હરશે, કુમાર હરશે, તરુણ હશે, પ્રૌઢ હશે, અને અત્યારે પરિપક્વ પ્રૌઢ છે ત્યારે પણુ, તે તે સંસ્કારો પરત્વે તેમને અનેક જાતનાં તર્કો, વિચારે અને અનુમાન સૂઝમાં; શાસ્ત્રીય તુલનાએ પણ તેમણે કરી અને છેવટે એ સ્મૃતિબીજને અત્યાર લગીના થયેલ વિકાસ એમણે આ યાત્રામાં આલેખ્યા. જો એમની ' > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy