SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ ] દર્શન અને ચિંતન યાત્રા” અને બીજી “સ્મરણયાત્રા” તે એક રીતે કાકાસાહેબની આત્મકથા જ છે. ગાંધીજીએ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે, કાકાસાહેબે આત્મકથા આપી આબાલસ્ત્રી જન ઉપરાંત વિદ્વાને અને સાક્ષરેને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યા છે. ગાંધીજી જે કહેવું હોય તે સીધેસીધું કહી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કઈ બાબત વિશે કહેવું હોય ત્યારે કાકાસાહેબ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફુલાવી, વિકસાવી અનેક મનોરમ તક અને આસપાસના અનુભવોના રંગ પૂરી રજૂ, કરે છે. એટલે ગાંધીજીનું એક વાક્ય તે કાકાસાહેબનો એક નાનકડો લેખ બને. વિદ્વાન અને સાક્ષરેને “શાત્રોડતિ” એ વાક્ય સંતોષ નથી આપતું, જ્યારે તે જ અર્થનું “સંતર્વિતિનાં પુરતા' એ વાક્ય આકર્ષે છે. યાત્રા કરવી હોય ત્યારે એક નિયત સ્થાનથી બીજા અંતિમ નિયત સ્થાન સુધી પગપાળા જવાનું હોય છે, તેમાં પડાવ કરવા પડે છે; પ્રત્યેક પડાવે ન ન અનુભવ અને તાજગી મળતાં જાય છે, ખાસ કરી નદી. માનસરોવર કે કૈલાસની યાત્રા કરવી હોય ત્યારે તે ઊંચું ને ઊંચે ચડવાનું પ્રાપ્ત થાય છે. આવાં ચડાણમાં ક્ષિતિજ પટ ઉત્તરોત્તર વિસ્તરતો જાય છે. કાકાસાહેબે એવી યાત્રાને આનંદ માણે છે, એની ખૂબીઓ જાણું છે. તેથી જ કદાચ તેમણે પિતાનાં સ્મરણોને યાત્રાથી ઓળખાવ્યાં છે. આ પણ એક માનસિક અને આધ્યાત્મિક ઊંડાણ અને ચડાણને પ્રવાસક્રમ હોવાથી યાત્રા જ છે. અધિકાર, સમજણ અને વિવેકના તારતમ્ય પ્રમાણે ધર્મના અનેક અર્થો મનુષ્યજાતિએ કર્યો છે; શાસ્ત્રોમાં સંઘરાયા પણ છે. એક જ પ્રસંગમાંથી અમુક કાળે ધર્મને જે અર્થ ફલિત થાય તે જ પ્રસંગમાંથી કાળાંતરે સમજણ, વિવેક અને પ્રજ્ઞાની વૃદ્ધિ સાથે ધર્મનાં ઉત્તરોત્તર સૂક્ષ્મ રૂપ તે જ વ્યક્તિ કરે છે, અનુભવે છે અને એ રીતે ધર્મના વિશાળ રૂપના અનુભવની યાત્રા જાગરૂક વ્યક્તિ એક જ જીવનમાં કરે છે. પ્રસ્તુત લખાણ કાકાસાહેબની એવી યાત્રાનાં સાક્ષી છે, તેની પ્રતીતિ હરકોઈ વાચક કરી શકશે. સિંધુમાં બિંદુ અને બિંદુમાં સિંધુ એવી પ્રાચીન વાણું છે. પૂર્વાર્ધને અર્થ સમજતાં વાર નથી લાગતી, ઉત્તરાર્ધ વિશે તેમ નથી. પણ ઉત્તરાર્ધના એ રૂપથી નિરૂપિત કરવામાં આવતો ભાવ કે સૂચિત કરવામાં આવતે અર્થ જે આપણી નજર સમક્ષ હોય તો એ રૂપક સમજવું સાવ સહેલું છે. જેને શાસ્ત્રમાં વર્ણન છે કે કોઈ વ્યક્તિમાં એવી પણ લબ્ધિ-શક્તિ હોય છે કે તે એકાદ પદ, એકાદ વાક્ય કે એકાદ સૂત્રને અવલંબી તેના ઉપર વિચાર કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy