________________
દર્શન અને ચિંતન
જેમાં સેક્રેટીસનું જીવન સંક્ષેપ કે વિરતારથી આલેખાયેલું ન હોય. મેં હિંદી આદિ ભાષાઓમાં જે જે સોક્રેટીસ વિશે વાંચ્યું કે સાંભળ્યું છે તે બધા કરતાં પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલ સોક્રેટીસનું રેખાચિત્ર ભારે ઉઠાવદાર અને વાચકને ઊર્ધ્વપ્રેરણું આપે તેવું મને લાગ્યું છે. એના લેખકે સોક્રેટીસ વિશે એટલું બધું વાંચ્યું–વિચાર્યું લાગે છે કે એ રેખાચિત્રના વાક્ય વાક્ય, કંડિકાએ કંડિકાઓ વાચક વધારે ને વધારે ઊર્ધ્વગામી બનતું જાય છે. ગ્રીસ, એથેન્સ, સ્પાર્ટીને ઈતિહાસ ટૂંકમાં પણ મળી જાય છે. ગ્રીસનાં વિચાર, વાણુ, કળા, સ્વાતંત્ર્ય આદિની સમૃદ્ધિનું ચિત્ર ઊપસી આવે છે. એથેન્સ અને સ્માર્ટીના સંધર્ષને પરિણામે સેક્રેટીસનો અંતરાત્મા કેવી રીતે જાગી ઊઠે છે અને તેની કર્તવ્યદિશા કેવી બદલાઈ જાય છે એનું હૂબહૂ મનોહર ચિત્ર આ કથામાં મળી આવે છે. કાલિય અને શાક્યના સંધર્ષે અહિંસા અને નિરની ભાવના વિકસાવવા જેમ બુદ્ધને જગાડ્યા, અને બુદ્ધ ભારત જગતને એક ને જ સંદેશ મળ્યો, તેમ સૈક્રેટીસના જાગેલા અંતરાત્માએ ઍથેન્સવાસીઓને અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક ક્રાન્તિકારી નો પાઠ શીખવ્યું. તે પાઠ એટલે સાચી સમજણ. જેને આર્યલેક સમ્યગ્દષ્ટિ યા વિવેકખ્યાતિ કહે છે તેને જ સોક્રેટીસ સાચી સમજણ કહે છે. સેક્રેટીસની સાચી સમજણ એ પક્ષ સમજણ નથી, પણ અન્તપ્રજ્ઞારૂપ પ્રત્યક્ષ સમજણ છે. એટલે તેની સાથે અનિવાર્યપણે અનુરૂપ શીલ આવે જ છે. તેથી જ સુન્નતામાં ભગવાન મહાવીરને અનુભવ નોંધાયેલ છે કે- “સમરવ તં મોજ, મો સમૂત્તણેવ ” એટલે સાચી દૃષ્ટિ યા સાચી સમજણ એ જ મન યા મનિત્વ એટલે સદાચાર છે અને સદાચાર એ જ સાચી સમજણ છેબંનેને અભેદ છે. સાચા અંતર્મુખ સંતમાં સમજણ અને શીલ એ બે , વચ્ચેનું અંતર માત્ર શાબ્દિક હોય છે, તાત્વિક નહિ. આંખ ને જીભ જેવી
જાદી જુદી ઈન્દ્રિયોથી ગ્રહણ થતાં રૂપ અને સ્વાદ બંને જુદાં છે, એમ આપણે કહીએ છીએ. તેને અર્થ એ નથી કે દૂધમાં રહેલ સફેદી અને મીઠાશ
એ બંને તત્વતઃ જુદાં છે. જેમ એ બંને તત્વતઃ એક છે, માત્ર -ઈયિજ્ઞાનના ભેદથી વ્યવહારગત ભેદ છે તેમ જ અંદરથી ઊગેલ સાચી
સમજણ અને શીલ એ બંને તાવિક રીતે એક જ છે. સેક્રેટીસ - સાચી સમજણ ફેલાવવા માટે કાંઈ પણ કરવું ચૂકતો નહિ. એને પરિણામે એની સામે ક્રાઈસ્ટની જેમ મૃત્યુ આવ્યું. એણે એને અમરપદ માની વધાવી લીધું. આ તેના શીલની અંતિમ કસોટી. આવી રોમાંચક, બેધક અને ઊર્ધ્વપ્રેરણા આપતી સૈક્રેટીસની જીવનગાથા એ પ્રસ્તુત પુસ્તકનું પહેલું વહેણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org