SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવેણીસ્નાન [ ૮૪૭ આ પુસ્તકનું બીજું વહેણ છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ. આ ગઈ શતાબ્દીની એક અસાધારણ ભારતીય વિભૂતિ છે. પણ જેમ સોક્રેટીસ એના અતબળને કારણે માત્ર ગ્રીસના ન રહેતાં માનવજાતને માન્ય પુરુષ અન્યા, તેમ પરમહંસ એ મૂળે બંગાળી છતાં સમગ્રપણે ભારતીય અનેવા ઉપરાંત એક વિશ્વવિભૂતિ પણ બન્યા. સોક્રેટીસને વિશ્વમાન્ય થતાં વખત ધણા લાગ્યા, કેમ કે વચલા સમયમાં એક એવું વિશ્વવ્યાપી ભાષામાધ્યમ અસ્તિત્વમાં ન હતું, જ્યારે પરમહંસદેવ તે થોડા જ વખતમાં વિશ્વવંદ્ય વિભૂતિઓમાં સ્થાન પામ્યા, તે એવા વિશ્વવ્યાપી ભાષામાધ્યમની સુલભતાને કારણે. જો સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ સંન્યાસી પણ અગ્રેજી ભાષા જાણતા ન હોત તે પરમહંસદેવની આખા ભારતમાં જાણ થવામાં પણ વધારે વિલંબ થાત. શમાં રાલાં જેવાએ પરમહંસ વિશે ઉદાત્તભાવે લખ્યું તે પણ એવી જ ભાષામાધ્યમની સુલભતાને આભારી છે. પણ સવાલ તો એ છે એક આવા અભણ, ગામડયા બ્રાહ્મણુ, અને તે પણ પૂજારી, એટલે ઊંચે સ્થાને પહેોંચ્યા તેની પાછળ શું રહસ્ય છે ? આને ઉત્તર પ્રસ્તુત પુસ્તકના લેખકે પરમહંસના રેખાચિત્રમાં અનેક દૃષ્ટિએ આપ્યા છે. પરમહ ંસદેવનું આધ્યાત્મિક ખમીર કેવું હતું, એમને ફાળીમાતા પ્રત્યેના ભક્તિભાવ કેવા સર્વાંગીણ અને વિવેકપૂત હતા, એમની દૃષ્ટિ અને વાણી કેવી અમૃતવર્ષિણી તથા અમેાધ હતી, એ બધું લેખકે ગભીરભાવે આલેખ્યું છે. અને પ્રસંગે પ્રસંગે ઉપનિષદો તેમ જ સતાનાં માર્મિક વચનાને આધારે રહસ્ય પણ પ્રગટ કર્યુ છે. પરમહંસ જાણીતા છે એમના ભક્તિમાંને લીધે; પણ ભક્તિમાર્ગમાં સાચી સમજણ અને સત્કર્મના કેવા મેળ હતા એ પણ એમના શિષ્યા સાથેના કે ઇતર સાથેના વાર્તાલાપાથી જણાઈ આવે છે. પરમહંસદેવનાં ઉપમા અને દૃષ્ટાંત અગર ટુચકા એ તો એમની જ વિશેષતા છે. આ વિશેષતાએ અનેકાને આકર્ષ્યા, અનેક વિદ્વાનાને જીત્યા. એણે જ નરેન્દ્રમાંથી વિવેકાનંદ પ્રગટાવ્યેા. વિવેકાનંદે પરમહંસદેવની ભક્તિમાં રહેલાં જ્ઞાન અને કનાં ખીજંકાને એવાં વિકસાવ્યાં કે આજે રામકૃષ્ણ મિશન એટલે એક રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મનું મિશન એવા અથ થાય છે. વિવેકાનંદ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંપત્તિની સુવાસ પશ્ચિમના અનેક ખૂણામાં પ્રસરી હતી, પર ંતુ એ પ્રસારને વિવેકાન ંદે બહુ મોટા વેગ આપ્યા. પછી તો ટાગાર, ગાંધીજી અને અરવિંદ પણ લક ઉપર આવ્યા અને એમના વિચાર તેમ જ વર્તને પૂર્વ-પશ્ચિમના દૃષ્ટિકાણાને સમીપ આવામાં બહુ મોટો ફાળો આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy