SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૨ ] દર્શન અને ચિંતન આ બીના ઉક્ત ઉદાહરણમાં સૂચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર “મસ્ય–ગલાગલ” છે. એટલે જયભિખ્ખએ નવલનું નામ છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ તે અર્થવાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આલેખતાં એ ભાવ દૂબહૂ સ્પષ્ટ કર્યો છે. (પ્રકરણ ૧ભું “સબળ નિર્બળને ખાય' પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પિતાના નિવેદનમાં બહુ સચેટપણે અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચક સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે. શરૂઆતમાં આપેલ વચન પ્રમાણે, પિતાને અનધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી, એનો ખુલાસો મારે કરો રહે છે. ખુલાસામાં મુખ્ય તત્વ તે લેખક પ્રત્યે બહુ મોડું મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણે એક તો લેખકની મેં જાણેલી નિર્ભય સાહસિક વૃતિ, અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ. આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તે અમદાવાદમાં સોળસત્તર વર્ષ થયાં, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. છતાં કહી શકાય એવો પરિચય તો ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશે આકર્ષ નારી હકીકત તે છેડા વખત પહેલાં જ જાણવા પામે. નૈતિક બળને આધારે, કશા પણ જોખમનો કે અગવડને વિચાર કર્યા સિવાય, પિતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિષ્ઠાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃતિ, એ મને આકર્ષનારું જયભિખ્ખના જીવનનું પ્રથમ તસ્વ. લગભગ બેંતાલીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્ર સાથે મારે જે સ્થિતિનો સામનો કરવો પડેલે, તેવી જ સ્થિતિને અને તે જ વર્ગ સામે. સામ પિતાના મિત્ર સાથે જયભિખુને કરવો પડ્યો, એ અમારી સમશીલતા. પણ એથીયે વધારે આકર્ષણ તે તેમનામાં આર્વિભાવ પામેલા વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે. આ હકીકત એ છે કે જયભિખુ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ નામે શિવલાલ ઠાકરશી દેસાઈ, કાશીમાં મારી સાથે હતા. ભારયે પહેલાં તેમણે પોતાને આશ્રય આપનાર અને પોતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળ કરેલે, અને પૂરેપૂરી અગવડમાં મુકાવા છતાં જરાય નમતું નહિ તળેલું. એ દશ્ય આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy