SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અનધિકાર ચેષ્ટા [ ૮૪૧ માથું મૂંડાવેલ, એક પગ ઉંબરામાં ને એક પગ બહાર મૂકેલ, આંખમાં આંસુ સારેલ ઈત્યાદિ લક્ષણવાળી કઈ સ્ત્રી ભિક્ષા આપે તે જ પારણું કરવું—એવો અભિગ્રહ કથામાં વર્ણવાય છે. આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે બેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની સ્થિતિ, આંસુ વગેરેને ભિક્ષા દેવા કે લેવા સાથે શું સંબંધ છે? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હય, ભિક્ષા નિર્દોષ હોય અને લેનાર સાત્વિક હેય—એટલું જ ભિક્ષા લેવા-દેવા વચ્ચે અપેક્ષિત છે. તે આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી? આ પ્રશ્નનો જયભિખુએ બુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જીવન તેમ જ જૈન સિદ્ધાન્તની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન અતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂઢ તેમ જ પ્રતિક્તિ હતી, એ બીના અતિહાસિકોને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપજ્યના સિદ્ધાંતમાં માનતા અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણપણે મથતા. જાતિગત ઉચ્ચનીચભાવ કે ગરીબીતવંગરીકૃત દાસ-સ્વામિભાવ એ આત્મૌપજ્યના સિદ્ધાંતનું મેટું આવરણ છે. એ આવરણ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમનો અભિગ્રહ આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના પૂલ રૂપમાં બદ્ધ ન હતું, પણ તેમને અભિગ્રહ લેકમાં તુછ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવાં જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવું એ સૂક્ષ્મ રૂપમાં સમાતો હતો. જયભિખ્ખએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂક્ષ્મ રૂપ વ્યક્ત કરી એના પૂલ રૂપમાં દેખાતા કઢંગાપણને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે. મસ્ય-ગલાગલ' શબ્દ ઘણાને અપરિચિત જે લાગવાને સંભવ છે, પણ વસ્તુતઃ એ બહુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે. આ ઉપરથી બે બાબતે સ્પષ્ટ સૂચિત થાય છે. એક તે એ કે સબળાને સે, એ વસ્તુ તે કાળે પણ કેટલી સર્વવિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જન-સમાજે કે અર્થવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતે સરલ શબ્દ વ્યવહારમાં આણેલે. વ્યાકરણ શાસ્ત્રમાં તિબિંબિક, મહરિજ અને મયં-શિસ્ત્ર જેવાં ઉદાહરણ ટાંક્યાં છે. તિમિ એ નાનામાં નાનું ભાછલું. તેને જરાક મોટું માછલું ગળી જાય. એ મસ્યને વળી એનાથી મોટું માછલું ગળે, ને એને પણ એનાથી મોટું ગળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy