________________
અનધિકાર ચેષ્ટા
[ ૮૪૩પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે, અને મને પણ એજ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણા મળેલી. જ્યારે મને માલૂમ પડ્યું કે બાલાભાઈ એ તે ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ અને વધારામાં એ માલૂમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળવો કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખુ પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે કે શિવલાલ ઠાકરસી દેસાઈને બળવા વખતે જયભિખ્ખને જન્મ પણ થયું ન હતું.
આકર્ષનારી બીજી બાબત એ—જયભિખુની સાહિત્ય પરિશીલનવૃત્તિ છે. જે વૃત્તિ સાથે મારું જીવન પહેલેથી જ એક અથવા બીજે કારણે જોડાયેલું છે, તે જ વૃત્તિ સાથે તેમનું આખું જીવન જોડાયેલું છે. આ બીજી સમશીલતા. જયભિખુએ એ વૃત્તિના બળે અને આત્મવિશ્વાસે બીજા કેટલાક એવા સંકલ્પ કરેલા છે કે જે પુરુષાથી અને સ્વાવલંબી જીવનના જ આધાર ગણાય. મુખ્ય આ બે બાબતોના આકર્ષણે મને અનધિકારના વિચારની ઉપેક્ષા કરાવી અને એ જ આ સ્થળે લખવાને મારે (જે અધિકાર કહી શકાય. તે) મુખ્ય અધિકાર છે.*
* શ્રી. “જયભિખુની નવલકથા “મસ્ય–ગલાગલીની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org