SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૪] દર્શન અને ચિંતન વિશાળ માનવતામાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલિભદ્ર, કેશા, વિષ્ણુગુપ્ત, વરરચિ વગેરે પાત્રો અને “કેશાનો વિલાસ, “સ્થૂલિભદ્રને સંન્યાસ”, “અજબ અનુભવે, કામવિજેતા” વગેરે પ્રકરણે હૃદયસ્પર્શી છે. વસ્તુ સુઘટિત છે. પ્રસંગમાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે. અને ધાર્મિક તવો વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીયે નવલને સુવાઓ બનાવી મૂકે છે. ” એકતાલીસ–બેંતાલીસના ગ્રંથસ્થ વાલ્મયની સમીક્ષા કરતાં કવિ શ્રી. સુંદરમે મહર્ષિ મેતારજ” વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓનો તટસ્થ નિર્દેશ કરીને છેવટે લખ્યું છે કે : “ આ લેખકે જૈન ધર્મમાંથી વિષયો લઈ તે પર નવલકથા લખવાનો જે શુભ આરંભ કર્યો છે, તે ખરેખર આદરણીય છે. અને આ કાર્ય માટે તેમની પાસે પૂરતી સર્જક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્રસૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં છે... ગૂજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે હશે..... કથાને સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસંગ છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છટાએ પહોંચી શક્યા છે, અને પિતાના અભ્યાસને પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.” ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષર શ્રી. કૃષ્ણલાલ મો. ઝવેરીએ જયભિખ્ખનાં કેટલાંક પુસ્તકાને સ્વીકાર કરતાં જવાબનાં જે લખ્યું છે, તેમાંથી એક કંડિકા અત્રે ઉદ્ધત કરવાનો લોભ રેકી શકાતું નથી? “સંસ્કૃતનું આવું ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાનું પણ, અને કલ્પનાથી 49 47921, Imagination in a large digree suplemented by creation facutly, zi 24124 HA H6798 43. Imaginative viata મૂર્તસ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ બીજે પ્રશંસાયુક્ત ગુણ. ( ૮-૬-૪૭)” લેખનના પ્રારંભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી. ચારિત્રવિજય. ઈ. સ. ૧૯૩૬ ] એની નિર્ભય સમાલોચને એક પત્રમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરેલી. તેમાં તેમણે લેખકને ઘણુ માર્મિક સૂચનાઓ કરી છે, પણ તેમની લેખનશક્તિ વિશેને અભિપ્રાય ટૂંકમાં આ છેઃ આવી સુંદર છટાથી લખાયેલું અને આવી આકર્ષક રીતે વિવિધ પ્રકારનાં રેખાચિત્રો, છબીઓ વગેરેથી સુશોભિત બનાવેલું બીજું કોઈ જીવનચરિત્ર ગુજરાતી ભાષા-સાહિત્યમાં હજુ સુધી મારા જોવામાં આવ્યું નથી...લેખનશૈલી પણ એટલી બધી મેહક છે કે વાંચનાર પહેલેથી છેડે સુધી એકસરખા રસથી ખેંચાય જાય છે. (૩૦-૭-૭)” જોકે જયભિખ્ખું જૈન કથાસાહિત્યને આધાર લઈ નવલ–નવલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy