SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ચેષ્ઠા [ ૮૩૩ ડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી. અને છતાંય તેમણે વિવિધ પ્રકારનુ જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કાઈ તે પણ થયા વિના ન રહે, એમ હું સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણાની યાદી તે બહુ મેાટી છે, તેમ છતાં ડઝનેક જેટલી નાનીમેટી નવલા ને અધો ડઝન જેટલા લઘુવાર્તાસ’ગ્રહા એટલું પણ એમની લેખનકળાની હથોટી સિદ્ધ કરવા પૂરતું છે. એમણે લખવાની શરૂઆત તેા લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં કરી. એ શરૂઆત મૂળે તે આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યક્તા ઠીક ઠીક સતેાષી પણ ખરી. અને પછી તે એમના એ રસ-વ્યવસાય જ થઈ ગયા છે. શરૂઆતમાં એમણે વિદ્યાર્થી વાચનમાળા ’ જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિ જન્મતી ગઈ, તેમ તેમ તેમાં વધારે રસ અને વિચાર–પ્રેરકતાનાં તત્ત્વ પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રવ્ય ધડાતી ચાલી. એની પ્રતીતિ કામવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલે જોતાં થાય છે. જયભિખ્ખુની એક નવલ નામે · પ્રેમભક્ત કવિ જયદેવ ' ઉપરથી કળાકાર શ્રી. કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ‘ ગીતગોવિંદ’ નામે ચિત્રપટ પણ તૈયાર થયુ અને તે ઠીક ઠીક પસંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજામના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારાની કળાનું ખીજી દિશામાં ધ્યાન ખેંચવા લખેલું : < આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સાલકી યુગને નમસ્કાર કરી હવે સેનાપતિ ( આચાર્ય ) અને ભગવાન ઋષભદેવ ( જયભિખ્ખુ ) ની જેમ, વિશેષ સફળતાથી, નવા યુગેામાં વિહાર કરે' .. ૫૩ : : ગુજરાતી સાહિત્ય સભા તરફથી થતી ચાલીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશ'કર મ. જોશીએ ‘ સ્થૂલિભદ્ર ’ વિશે જે લખ્યુ છે તે લંબાણુ-ભયને સકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્ધૃત કરવું યોગ્ય સમજું છું: “ જયભિખ્ખુ કૃત - સ્થૂલિભદ્ર ’માં નવલકથામાં ઐતિહાસિક ધ કથાને ઉચિત કલાથી ગૂંથવાના સફળ ચહ્ન થયા છે. પ્રેમકથા, મુત્સદ્દીગીરી કે સાહસથાએની પુનરુક્તિથી અકળાતા લેખકને ધ કથાને રુચિર સ્વરૂપે ગૂંથવાનુ ક્ષેત્ર હજી અણખેડાયેલુ અને ભાવિ સમૃદ્ધિભયું જણાશે. સાંપ્રદાયિક તત્ત્તા આ કથામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy