________________
અનધિકાર ચેષ્ટા શક્તિ ધરાવનારા લેખકે કેવી રીતે ભિન્ન ભિન્ન આલેખન કરતા.
આપણે ઉપર જોયું તેમ, એક સર્વસામાન્ય કથાસાહિત્યના પ્રભવસ્થાનમાંથી ઉદ્ભવેલી સંપ્રદાય-ભેદની છાયાવાળી કથા ત્રિવેણી ભારતીય વાલ્મયના પટ પર તે વહે જ છે, પણ એના પ્રચારની બાબતમાં ધ્યાન આપવા લાયક મહત્ત્વનો ભેદ છે. બૌદ્ધ ભિક્ષુકને ન નડતું જતિબંધન કે ન નડત વિહારનો સખત પ્રતિબંધ. તેથી તેઓ ભારતની ભૂમિ ઓળંગી તે સમયમાં જાણીતી એવી સમગ્ર દુનિયાના ખૂણેખૂણે પહોંચવા મળ્યા. સાથે પિતાનું અણમોલું કથાસાહિત્ય પણ લેતા ગયા. અને પરિણામે બૌદ્ધ કથાસાહિત્ય, ખાસ કરીને જાતકસાહિત્ય, અનેક ભાષાઓમાં અનુવાદિત થયું અને ભારત બહારની જનતાનું ધ્યાન તેણે બુદ્ધભૂમિ પ્રત્યે આકર્થે. વૈદિક અને પૌરાણિક કથાસાહિત્યને એવી તક મળવા સામે મુશ્કેલી હતી. વ્યાસો ને પૌરાણિક વાકૃશ્નર ને વાપટુ કાંઈ ઓછા નહિ, પ્રચાર-ઉત્સાહ પણ જે તે નહિ, પણ તેમને નડતું મુખ્યપણે જાતિનું ચેકાબંધન. તેથી બૌદ્ધ કથાસાહિત્ય જેટલું પૌરાણિક કથાસાહિત્ય તે કાળમાં ભારત બહાર પ્રચાર ન પામ્યું એ ખરું; પણ ભારતમાં તે એ દરેક રીતે ફૂલ્યુ-ફાલ્યું અને ઘરે ઘરે આવકાર પામ્યું. એક તે બ્રાહ્મણવર્ગ જ વિશાળ, બીજું તે બુદ્ધિપ્રધાન અને માત્ર બુદ્ધિજીવી, ત્રીજું એ લેક અને શાસ્ત્રમાં ગુરુસ્થાને, એટલે પૌરાણિક કથાઓએ જનતામાં એવા સંસ્કાર સીંચ્યા કે જે વૈદિક કે પૌરાણિક પરંપરાના અનુયાયી ન હોય તેના કાન ઉપર પણ પૌરાણિક કથાઓના પડઘા પડતા જ રહ્યા છે.
જૈન કથા-સાહિત્યને પ્રશ્ન સાવ નિરાળો છે. જો કે જૈન ભિક્ષકોને યથેચ્છ વિહારમાં જાતિબંધનનું ડામણ નડે તેમ ન હતું, પણ તેમને જીવનચર્ચાના ઉગ્ર નિયમો મુક્ત વિહારમાં આડે આવતા. તેથી ભારત બહાર જૈન કથા-સાહિત્યના પ્રચારને સંભવ જ લગભગ ન હતે. અલબત્ત, ભારતમાં એ પ્રચાર માટે પૂર્ણ અવકાશ હતો, છતાં એમ સિદ્ધ ન થવાનાં અનેક કારણે પિકી મુખ્ય કારણ જન ભિક્ષુકોની પિતાની ધર્મસ્થાન પૂરતી મર્યાદા એ જ હતું. જે જનો પિતાના ધર્મસ્થાનમાં જતા-આવતા રહે અને કથા-શ્રવણ કરે તે તો ઓછેવત્તે અંશે જૈન કથાથી પરિચિત રહેતા, પણ જેઓ એ રીતે ટેવાયેલા ન હોય તેવા જેનો પણ જૈન કથા વિશે ભાગ્યે જ જાણતા. તેથી જેન કથાઓ જેટલા પ્રમાણમાં ગ્રંથોમાં આલેખાયેલી છે ને સંગૃહીત છે તેટલા પ્રમાણમાં તેનું પ્રચારક્ષેત્ર વધ્યું નથી, એ નક્કર હકીકત છે. જે વસ્તુ સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચારમાં આવે છે તેમાં હંમેશાં લેકચિ પ્રમાણે અનેક આકર્ષક સુધારાવધારા પણ થતા રહે છે. જેનો પ્રચાર નહિ અથવા છો તેમાં કોઈ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org