SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ ] દર્શન અને ચિંતન સાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેથી આ વસ્તુ અછાની નથી. રામરાવણ, કંસ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લક્કથા પુરાણોમાં એક રૂપે હોય તો જન પરંપરામાં તે સહેજ બીજે રૂપે હોય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જ રીતે હેય. કોઈ એક જ પરંપરાના જુદા જુદા લેખકે પણ ઘણીવાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તે નાભિ-મરુદેવીના નંદન ઋષભદેવની વાત જૈન પરંપરાથી કાંઈક જુદી હોય એ સમજી શકાય તેવું છે, પણ જૈન પરંપરાના દિગંબર–શ્વેતાંબર જેવા બે કવિલેખકે પણ ઋષભદેવની સ્થા વિશે સર્વથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકે કે પ્રચારકોને ઉદ્દેશ પોતપોતાની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાને હોય છે. એ ઉદેશ તેમને તત્કાલીન આકર્ષક બળોને કથામાં સમાવવા પ્રેરે છે, ને તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડોઘણો ફેર પડી જ જાય છે. શિબિએ બાજથી પારેવાનું રક્ષણ કરવા પિતાનું શરીર અર્યાની કથા મહાભારતના વનપર્વમાં છે. બોધિસત્વે પણ પ્રાણી રક્ષણ માટે હિંઢ પશને પિતાનો દેહ અર્પે એવી વાત વ્યાસ્ત્રી જાતકમાં છે. સોળમા તીર્થકર શાંતિનાથે મેઘરથ રાજાના ભવમાં બાજના પંજામાંથી પારેવાને બચાવવા પિતાને દેહ અય્યની વાત છે. સિંહના પંજામાંથી સુરભિનું રક્ષણ કરવા દિલીપના દેહાપણની વાત પણ કાવ્યમાં આવી છે. આ બધી વાર્તા માં પાત્ર અને પ્રસંગે ભલે જુદાં હોય, પણ તેમાં પ્રાણું–રક્ષણની ધર્મોચિત કે ક્ષત્રિયચિત જવાબદારી અદા કરવાને પ્રાણ તે એક જ ધબકી રહ્યો છે. મહાભારતમાં મિથિલાના અનાસક્ત કમલેગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતકમાં મહાજનક એક જાતક છે, તેમાં મિથિલાનરેશ તરીકે મહાજનક નામનું બોધિસત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજ ઋષીશ્વરની કથા છે. તે પણ અમુક પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ પિતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવોની કશી જ ચિંતા સેવ્યા વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે. આ જુદાજુદા દેખાતા કથા-ઉગ મૂળમાં કઈ એક જ બીજનાં પરિણામ છે, અગર તે એકનાં બીજાં સુધારેલાં અનુકરણ છે. ઉદયન વત્સરાજ જેવી અતિહાસિક વ્યક્તિનું આલેખન કરતી કથાઓ પણ ઉપર સૂચવેલ બ્રાહ્મણ-શ્રમણ પરંપરાઓમાં કાંઈક ને કાંઈક જુદો જુદો આકાર ધારણ કરે છે. આટલી ચર્ચા એટલું જાણવા પૂરતી કરી છે કે પ્રાચીન કાળમાં અને મધ્ય કાળમાં પણ એક સામાન્ય કથાના ખેખા પરથી જુદા જુદા સંપ્રદાયવાળા અને જુદી જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy