SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા સામે પરલકવાદીઓનો ઉપદેશ શરૂ થાય—અરે, ગાંડા! આત્માનું તે કરી લે. માબાપ એ તે આળપંપાળ.” એ ભાઈ પછી નીકળે પરલોક માટે અને ત્યાં પાછું એ જ બિનજવાબદારીનું અનવસ્થાચક્ર ચાલવું શરૂ થાય. બીજે યુવક સામાજિક જવાબદારીઓ તરફ ઢળતું હોય તેવામાં પરલોકવાદી ગુરુ તેને કહેઃ “અરે, નાતજાતના ગોળ તોડી એને વિશાળ બનાવવાની વાતમાં પડ્યો છે, પણ કાંઈ આત્માનું વિચાર્યું? પરલોક ભણું તો જે. આવી આળપંપાળમાં શું ફર્યો છે ?” પેલો યુવક ગુરુને પગલે ન જાય તેય ભ્રમણામાં પડી હાથમાં લીધેલ કામ છોડી દે દેખાય છે. એક બીજે યુવક વૈધવ્યની વારે ધાઈ પિતાની બધી સંપત્તિ અને બધી લાગવગનો ઉપગ પુનર્લગ્ન વાસ્તે કરતો હોય યા અસ્પૃશ્યોને અપનાવવામાં અને અસ્પૃશ્યતા નિવારવામાં કરતા હોય ત્યારે આસ્તિકરત્ન ગુરુ કહે–“અરે, વિષયના કીડા, આવાં પાપકારી લગ્નના પ્રપંચમાં પડી, પરલોક કાં બગાડે છે ? બિચારે તે ભરમા અને મૌન લઈ બેસી ગયે. ગરીબની વહારે ધાવા ને તેમને પૈસો નહિ તે પાઈ મળે તેવા રાષ્ટ્રીય ખાદી જેવા કાર્યક્રમમાં કોઈને પડતે જોઈ ધર્મત્રાતા ગુએ કહ્યું-“અરે, એ તો કર્મનું ફળ છે. સૌનું કર્યું સૌ ભગવે. તું તારું સંભાળ ને ? આત્મા સાચવ્યો, એણે બધું સાચવ્યું. પરલક-સુધારણા એ જ ઉચ્ચ ધ્યેય હોવું જોઈએ. આવા ઉપદેશથી એ યુવક પણ કર્તવ્યથી સરક્યો. આવા બનાવો, આ જાતના કર્તવ્યભ્રંશ સમાજે સમાજમાં અને ઘરેઘરમાં છે કે વધતે અંશે જોઈ શકીશું. ગૃહસ્થની જ વાત નથી, ત્યાગી ગણુતા ધર્મગુરુઓમાં પણ કર્તવ્યપાલનને નામે મીંડું છે. ત્યારે ચાર્વાક ધર્મ કે તેના ધ્યેયને સ્વીકાર ન કરીને જે પરિણામ ઉપસ્થિત કર્યાનું કહેવાય છે તે પરિણામ પરલેકને ધર્મનું ધ્યેય માનનારે ઉપસ્થિત નથી કર્યું, એમ કોઈ કહી શકશે? જે એમ ન હોત તે આપણું આખા દીર્ધદશ ગણાતા પરલકવાદી સમાજમાં આત્મિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓની ખામી ન જ હોત. કરજ કરીને પણ ઘી પીવું એવી માન્યતા ધરાવનાર માત્ર પ્રત્યક્ષવાદી અને તે પણ સ્વસુખવાદી ચાર્વાક હોય કે પરલોકવાદી આસ્તિક હોય, પણ જે તેઓ બન્નેમાં કર્તવ્યની એગ્ય સમજ, તેની જવાબદારીનું આત્મભાન અને પુષાર્થની જાગૃતિ–એટલાં તો ન હોય તો બન્નેના ધર્મધ્યેય સંબંધી વાદમાં ગમે તેટલું અંતર હોવા છતાં તે બન્નેના જીવનમાં કે તેઓ જે સમાજના અંગ છે તે સમાજના જીવનમાં એ બન્નેના ધ્યેયભેદને કારણે Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy