________________
૧૨ ].
દર્શન અને ચિંતન તે પણ આપણે જે જૈન સમાજની પ્રત્યેક પ્રવૃત્તિને બારીકીથી અભ્યાસ કરીશું તો આપણને દેખાશે કે તે પરલેક તો સાધી શકતો જ નથી; વધારામાં ચાર્વાક જેટલે ઈહલેક પણ સાધી શકતો નથી. એક ચાર્વાક મુસાફર ગાડીમાં બેઠો. તેણે પિતાની પૂરી સગવડ સાચવવા બીજાની સગવડના ભેગે– બીજાઓ ઉપર વધારે અગવડો મૂકીને–પિતાની સીટ પૂરેપૂરી, ઊલટી કાંઈક વધારે, મેળવી. થોડીવાર પછી ઊતરવાનું છે, એ જગ્યા જવાની છે, એની એને કાંઈ પડી ન હતી. બીજી વાર, બીજે પ્રસંગે પણ એ માત્ર પોતાની સગવડની ધૂનમાં રહેતા અને બીજાના સુખને ભોગે સુખેથી સફર કરત. બીજો પેસેંજર પરલકવાદી જેન જેવો હતો. તેને જગ્યા તે મળી, કાંઈ જોઈએ તેથી વધારે પણ, છતાં હતી તે ગંદી. એણે વિચાર્યું: હમણું તે ઊતરવું છે, પછી કોણ જાણે બીજો કોણ આવશે. ચલાવી લે. સફાઈની માથાફેડ નકામી છે. એમાં વખત ગાળવા કરતાં અરિહંતનું નામ જ ન લઈએ, એમ વિચારી તેણે એ જ ગંદી જગ્યામાં વખત ગાળ્યો. બીજે સ્ટેશને ડબો બદલાતાં બીજી જગ્યા મળી. તે હતી તો ચાખી, પણ બહુ જ સંકડાશવાળી. પ્રયત્નથી મોકળાશ કરી શકાય તેમ હતું, પણ બીજા તોફાનીઓ સાથે વાદવિવાદમાં ઊતરવું એ પરલેકની માન્યતા વિરુદ્ધ હતું. ત્યાં વળી પરલકવાદ આવ્યો : ભાઈ રહેવું છે તે ડું, નકામી માથાફેડ શાને ? એમ કરી ત્યાં પણ અરિહંતના નામમાં વખત ગાળ્યો. એની લાંબી અને ઘણા દિવસની રેલની અગર વહાણની બધી જ મુસાફરીમાં જ્યાં સગવડ મળી કે અગવડ, સર્વત્ર એને કાંઈ કરવાનું આવે ત્યાં એને પરલકવાદ એને હાથ પકડત અને ઈષ્ટસ્મરણ માટે ભલામણ કરતે.
આપણે આ બન્ને પ્રવાસીઓનાં ચિત્રો હંમેશા જોઈએ છીએ. શું આ ઉપરથી એમ કહી શકાશે કે પેલા ચાર્વાક કરતાં બીજે પરલોકવાદી પેસેંજર ચડિયાત ? એકે ટૂંકી દૃષ્ટિથી બધા પ્રત્યેની જવાબદારીઓને ભંગ કરી છેવટે સ્વસગવડ તે સાધી અને તે પણ ઠેઠ સુધી, જ્યારે બીજાએ પ્રયત્ન કર્યા સિવાય સગવડ મળી ત્યારે રસપૂર્વક એને આસ્વાદી, પણ જ્યારે જ્યારે પિતાની સગવડ વાસ્તે અને બીજાની અગવડ દૂર કરવા પ્રયત્ન કરવાને પ્રસંગ આવ્યો ત્યારે ત્યારે પરલોક અને આગળનું શ્રેય સાધવું, એ નરી ભ્રમણામાં રહી ચાર્વાક કરતાંય વધારે જવાબદારીઓને તેણે ભંગ કર્યો. આ કાંઈ રૂપક નથી, પ્રતિદિન દેખાતા વ્યવહારની વાત છે.
છેક ઉમરે પહોંચે અને જ્યારે માબાપને વારસો મેળવવાને હોય ત્યારે તે માટે તલપાપડ થઈ જાય. પણ માબાપની સેવાનો પ્રસંગ આવતાં જ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org