________________
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા
[ ૬ વિપર્યાસનાં માઠાં પરિણામ
આ વિપર્યાસથી પરલકવાદી પિતાના આત્મા પ્રત્યેની સાચું વિચારવા તેમ જ વિચાર પ્રમાણે પોતાને ઘડવાની જવાબદારી તો નથી પાળતા, પણ જ્યારે કૌટુંબિક કે સામાજિક વગેરે જવાબદારીઓ ઉપસ્થિત થાય છે ત્યારે–વર્તમાન જન્મ ક્ષણભંગુર છે, એમાં કઈ કોઈનું નથી, સૌ સ્વાથી મળ્યાં છે, મેળો વિખરાવાનો તે ખરે જ, ભાગ્યમાં લખ્યું હશે તેને કોણ ભૂંસે ? બીજે તે બીજાને શી રીતે સુધારવાને ? પિતાનું હિત સાધવાનું સ્વ હાથમાં છે, એવું હિત પરલોક સુધારવામાં છે, પરલેકને સુધારવા બધું જ પ્રાપ્ત થયેલું ફેંકવું જોઈએ, ઇત્યાદિ વિચારમાળામાં પડી—પલેકની ધૂનમાં એ જવાબદારીઓને ઉવેખે છે. એ એવી એકતરફી ધૂનમાં ભૂલી જાય છે કે તેના પહેલેકવાદના સિદ્ધાન્ત પ્રમાણે તો તેને વર્તમાન જન્મ પણ પરલેક જ છે અને તેની આગલી પેઢી એ પણ પરલોક જ છે; પિતાના સિવાયની સામેની વર્તમાન સૃષ્ટિ પણ પરલોકનો એક ભાગ જ છે. એ ભૂલના સંસ્કારે કર્મવાદ પ્રમાણે તેની સાથે જવાના જ. જ્યારે તે કોઈ બીજા લેકમાં અવતરશે કે વર્તમાન લોકમાં પણ નવી પેઢીમાં જન્મ લેશે ત્યારે તેને પરલેક સુધારવાનો અને બધું વર્તમાન ફેંકી દેવાને સંસ્કાર પાછો જગશે. વળી તે એમ જ કહેવાનો કે પરલેક એ જ ધર્મનું ધ્યેય છે. ધર્મ તે પરલેક સુધારવા કહે છે, વાસ્તે અહિક સુધારણામાં કે અહિક જવાબદારીઓમાં માત્ર બદ્ધ થઈ જવું એ તો ધર્મદ્રોહ છે. એમ કહી તે, પ્રથમના હિસાબે પલેક પણ અત્યારના હિસાબે વર્તમાન જન્મને ઉવેખશે અને વળી બીજા જ પરલેક અને બીજા જ જન્મને સુધારવાની ધૂનમાં ગાંડે થઈ ધર્મ તરફ ઢળશે. એને પરિણામે–એ સંસ્કારને પરિણામે–વળી પ્રથમ માનેલે પરલેક તેને વર્તમાન જન્મ બનશે, ત્યારે પાછો તે તે ધર્મને પરલોક સુધારવાના ધ્યેયને વળગી એ પ્રાપ્ત થયેલ પરલોકને ઉવેખશે અને બગાડશે. આમ ધર્મનું ધ્યેય પરલોક છે એ માન્યતાની પણ ગેરસમજનું પરિણામ તે ચાર્વાકના પરલકવાદના અસ્વીકાર કરતાં બીજું આવવાને સંભવ જ નથી. કેટલાંક ઉદાહરણે.
આ અટકળ વધારે પડતી છે એમ કઈ રખે માને. આપણે ઉદાહરણ વાસ્તે દૂર જવાની જરૂર નથી. જૈન સમાજ આસ્તિક ગણાય છે. તે કર્મવાદી છે. પલક સુધારવાનો તેને દાવો છે. તે પિતાના ધર્મનું એય પરલોક, સુધારવામાં જ પૂરું થાય છે, એમ ગર્વથી માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org