________________
૬૦ ]
દર્શન અને ચિંતન આપણે હવે જોવાનું એ છે કે વ્યવહારમાં કર્મવાદીઓ ચાર્વાકર્ષથી કરતાં કેટલી ચઢિયાતી રીતે જીવી બતાવે છે, તેઓ ચાર્વાકપથી કરતાં પોતાના સંસારને કેટલું વધારે સારે અને વધારે ભવ્ય બનાવી કે રચી જાણે છે ?
ચર્ચામાં એક પક્ષ બીજાને ગમે તે કહે છે તેને કોઈ રોકી શકતું નથી. ઊતરતા અને ચડિયાતાપણાની કરી જીવનમાંથી જ મળી રહે છે. ચાર્વાકપંથી ટૂંકી દૃષ્ટિને લીધે પરલેક ન માને તેથી તેઓ પિતાની આત્મિક જવાબદારી અને સામાજિક જવાબદારીથી ભ્રષ્ટ થઈ માત્ર પોતાના ઐહિક સુખની ટૂંકી લાલસામાં એકબીજા પ્રત્યેની સામાજિક જવાબદારીઓ અદા ન કરે તેથી વ્યવહાર લંગડે બને. એમ બને કે ચાવકપંથી પિતાને ફાવે ત્યાં બીજા પાસેથી સગવડ લઈ લે, માબાપને વારસો પચાવી લે, સુધરાઈખાતાની સગવડે ભોગવવામાં જરાય પાછી પાની ન કરે, સામાજિક કે રાજકીય લાભોને લેશ પણ જતા ન કરે; પણ જ્યારે એ જ માબાપને પિષવાને સવાલ આવે ત્યારે આંખ આડા કાન કરે, સુધરાઈખાતાને કોઈ નિયમ પાળવાનું પિતાને શિર આવે ત્યારે ગમે તે બહાને છટકી જાય, સામાજિક કે રાષ્ટ્રીય આપત્તિ વખતે કાંઈ કરવાનું પ્રાપ્ત થતાં તે, પેટમાં દુખવાનું બહાનું કરીને નિશાળથી બચી જનાર બાળકની પેઠે, કઈ ને કઈ રીતે છટકી જાય અને એ રીતે પોતાની ચાર્વાકદષ્ટિથી કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધાં જીવનને લંગડું બનાવવાનું પાપ કરે. આ એની ચાર્વાકતાનું દુષ્પરિણામ. હવે આપણે પરલકવાદી આસ્તિક કહેવડાવતા અને પિતાને વધારે શ્રેષ્ઠ માનતા વર્ગ તરફ વળીએ. કર્મવાદી પણ પોતાની કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધી જ જવાબદારીઓથી છટકતો દેખાય તે એનામાં અને ચાકમાં ફેર શો રહ્યો ? વ્યવહાર બન્નેએ બગાડ્યો. આપણે જોઈએ છીએ કે કેટલાક સ્વસગવડવાદી પિતાને ખુલ્લામાં ખુલ્લા ચાર્વાક કહી પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરે છે, પણ સાથે જ આપણે જોઈએ છીએ કે કર્મવાદી પણ પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે એટલી જ બેદરકારી સેવે છે. બુદ્ધિમાં પરલકવાદ સ્વીકાર્યા છતાં અને વાણીમાં ઉચ્ચારવા છતાં પરલેકવાદ એ માત્ર નામને જ રહ્યો છે. આનું કારણ પરલોકવાદને ધર્મના ધ્યેયમાં સ્થાન આપ્યા છતાં તેની ગેરસમજૂતી એ છે. ચાર્વાકની ગેરસમજ ટૂંકી દૃષ્ટિ પૂરતી ખરી, પણ પરલકવાદીની ગેરસમજ બેવડી છે. તે વદે છે દીર્ધદષ્ટિ જેવું અને વર્તે છે ચાર્વાક જેવું એટલે એકને અજ્ઞાન છે તે -બીજાને વિપર્યાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org