________________
દર્શન અને ચિંતન કશું અંતર પડવાનું નહિ. ઊલટું એમ બને કે પરલકવાદી અન્યના જીવનને ધકકો પહોંચાડવા ઉપરાંત પિતાનું જીવન પણ વણસાડી મૂકે, જ્યારે ચાર્વાકપંથી વધારે નહિ તે વર્તમાન માત્ર પિતાના જીવન–પૂરતું થર્ડ:૫ણું સુખ સાધી લે. આથી ઊલટું, જે ચાર્વાકપંથી અને પરલોકવાદી બન્નેમાં કર્તવ્યની ચોગ્ય સમજ, જવાબદારીનું આત્મભાન તેમ જ પુરુષાર્થની જાગૃતિ સરખા પ્રમાણમાં હોય તે ચાર્વાક કરતાં પરલકવાદીનું વિશ્વ વધારે સારું હોવાની અગર પરલકવાદીને કરતાં ચાર્વાકપંથીનું વિશ્વ ઊતરતા પ્રકારનું હેવાની કોઈ સંભાવના કે ખાતરી નથી. ધ્યેયવાદ ગમે તે હોય છતાં જેનામાં કર્તવ્ય
અને જવાબદારીનું ભાન તેમ જ પુસ્નાર્થની જાગૃતિ વધારે, તે જ બીજા કરતાં પિતાનું અને પિતાના સમાજ કે રાષ્ટ્રનું જીવન વધારે સમૃદ્ધ કે સુખી બનાવવાને. કર્તવ્ય અને જવાબદારીના ભાનવાળા તેમ જ પુરુષાર્થની જાગૃતિવાળા ચાર્વાક જેવા ગણાતા લોકોએ પણ બીજા પક્ષના સમાજ કે રાષ્ટ્ર જીવન કરતાં પિતાના સમાજ અને રાષ્ટ્રનું જીવન વધારે સારું ઘડ્યાનાં પ્રમાણે આપણું સામે છે. તેથી આપણે ધર્મના ધ્યેય તરીકે પરલકવાદ, કર્મવાદ કે આત્મવાદને બીજા વાદ કરતાં વધારે સારા કે વધારે ચડિયાતા છે એમ કોઈ પણ રીતે સાબિત કરી નથી શકતા. એવી સ્થિતિમાં પરલેકસુધારણાને ધર્મના ધ્યેય તરીકે માનવા-મનાવવાની જે પ્રવૃત્તિ ચાલતી આવી છે તે બરાબર નથી એમ સ્વીકારવું પડશે.
ધમનું ધ્યેય કોને ગણવું?
પણ ત્યારે પ્રશ્ન થશે કે ધર્મનું ધ્યેય શું હોવું જોઈએ ? કઈ વસ્તુને ધર્મના ધ્યેય તરીકે સિદ્ધાંતમાં, વિચારમાં અને વર્તનમાં સ્થાન આપવાથી ધર્મની સફળતા અને જીવનની વિશેષ પ્રગતિ સાધી શકાય ? - આને જવાબ ઉપરના વિવેચનમાંથી જ ફલિત થઈ જાય છે. તે એ કે દરેકને પિતાના વૈયક્તિક અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂર્ત કરી દેખાડવા જેટલા પુષાર્થની જાગૃતિ હેવી એજ ધર્મનું ધ્યેય મનાવું જોઈએ. જે ઉક્ત તત્વોને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારી તેના ઉપર ભાર આપવામાં આવે તે પ્રજાજીવન સમગ્રપણે પલટે ખાય. ધર્મ તાત્વિક હોય કે વ્યાવહારિક, પણ જે ઉક્ત તો જ એના ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે અને પ્રત્યક્ષ ધારણાવાદ કે પરલેક સુધારવાનું સ્થાન ગૌણ કરી દેવામાં આવે તે પછી મનુષ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org