SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માંનાં અને એના ધ્યેયની પરીક્ષા [ પ વધારે અશુભ નિષ્ઠાથી છેકરીઓને પાળી, પાષી તેની પવિત્રતાને ભાગે આવિકા કરનાર આજે સંસ્કૃત ગણાતા સમાજમાં પણ સુરક્ષિત છે. આ બધું એક જ સૂચવે છે અને તે એ કે કાઈ પણ વ્યાવહારિક બાહ્ય ક્રિયાકાંડ અગર પ્રથાને, માત્ર એને લોકા આચરે છે એટલા જ કારણે, ધ કહી ન શકાય; અગર એને ખીજા લેાકેા નથી આચરતા કે નથી માનતા અગર તેને વિરાધ કરે છે, એટલા જ કારણે અધમ ન કહી શકાય. શું પરિણામ દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધ માનવે ? કેટલાક ફ્લીલ કરે છે કે ઘણીવાર વ્રત નિયમા, ક્રિયાકાંડા શુભ નિષ્ઠામાંથી ન જન્મ્યા હોય છતાં તે અભ્યાસખળે શુભ નિષ્ઠા જન્માવવામાં કારણ બની શકે છે, એટલે પરિણામની દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધર્મ માનવા જોઈ એ. આના જવાબ અધરે! નથી. કાઇપણ ખાદ્ય વ્યવહાર એવા નથી કે જે શુભ નિષ્ઠા જ જન્માવે; ઊલટુ ઘણીવાર એમ અને છે કે અમુક બાહ્ય વ્યવહારની ધમ તરીકે પ્રતિષ્ઠા જામતાં તેને આધારે સ્વાર્થ પાષણનું જ કા માટે ભાગે સધાવા મૐ છે. તેથી જ, આપણે જોઈએ છીએ કે, શુભ નિષ્ઠાથી સ્થપાયેલી મદિર–સંસ્થાની ધાર્મિક વહીવટી પેઢી છેવટે આપખુદી અને સત્તા પાષવાનું સાધન બની જાય છે. એટલું જ નહિ, પણ એક વાર ધર્મભીરુ દૃષ્ટિએ ધાર્મિ ક કુંડાની પાઈ પાઈ ને હિસાબ રાખનાર પણ એ જ નાણાંના લોભમાં, પ્રસંગ આવતાં, ક્રૂસાઈ ધાર્મિક કરજ ચૂકવવું ભૂલી જાય છે. શુભ નિષ્ઠાથી સ્વીકારેલ ત્યાગીના વેશની પ્રતિષ્ઠા અધાતાં અને ત્યાગીનાં બાહ્ય આચરણાનું લોકાકર્ષણ જામતાં તે જ વેશ અને ખાદ્ય આચરણને આધારે અશુભ વૃત્તિ પાષાવાના દાખલાએ ડગલે અને પગલે મળે છે. કાઈ વ્યક્તિ ખાદ્ય નિયમથી લાભ નથી જ ઉઠાવતી એમ ન કહી શકાય, પણ ખાદ્ય નિયમ લાભપ્રદ થાય જ છે એવા પણ એકાંત નથી. તેથી જેમ એકાંતપણે શુદ્ધ નિષ્ઠાને ઈ પણ બાહ્ય વ્યવહારનું કારણ માની ન શકાય, તેમ તેને એકાંતપણે બાહ્ય વ્યવહારનું કાર્ય પણ માની ન શકાય. એટલે કારણની દૃષ્ટિએ કે ળની દૃષ્ટિએ વ્યવહારને એક જ વ્યક્તિ વાસ્તે અગર સમષ્ટિ વાસ્તે અકાન્તિક ધર્મ હેાવાનું વિધાન ન જ કરી શકાય. એ જ સબબ છે કે જૈન શાસ્ત્ર અને ઇતર શાસ્ત્રોમાં શુદ્ધ તાત્ત્વિક ધર્મને સૌને અને સદાને માટે એકરૂપ માનેલ હૈાવા છતાં વ્યાવહારિક ધમને તેમ માનેલ નથી. નવા નિયમથી નવાણી દુભાય તેનુ કેમ? પણ વળી પ્રશ્ન થાય છે કે જો વ્યાવહારિક આચારે ઐકાન્તિક ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy