________________
૫૬ ]
- દર્શન અને ચિંતન “રૂપે સંભવતા જ નથી તે જ્યારે એવા આચારનો કોઈ વિરોધ કરે છે, તેને
સ્થાને અન્ય નિયમ અને આચાર સ્થાપવા મથે છે, ત્યારે પ્રથમ આચારને અનુસરનારાઓની લાગણી કેમ દુભાય છે ? અને એ લાગણી દુભવવી સુધારવાદીઓ વાસ્તે ઈષ્ટ છે ? જવાબ સ્પષ્ટ છે. વ્યાવહારિક ક્રિયાકાંડને ભ્રમણાથી તાત્ત્વિક ધર્મ માની લેનાર વર્ગ હમેશાં માટે હોય છે. તેઓ એવા ક્રિયાકાંડે ઉપર થતા આધાતને તાત્વિક ધર્મ ઉપરનો આઘાત માનવાની ભૂલ કરે છે. એ ભૂલમાંથી જ એમનું દિલ દુભાય છે. સુધારવાદીઓનું કર્તવ્ય છે કે પોતે જે સમજતા હોય તે સ્પષ્ટપણે ઘરેડવાદીઓ સામે મૂકે. ભ્રમણ દૂર થતાં જ એમની દુભાતી લાગણી બંધ પડી તેનું સ્થાન સત્ય-દર્શનને આનંદ લેશે. દેવ, ગુરુ, ધમ તો
- જૈન પરંપરામાં તાત્વિક ધર્મ ત્રણ તત્વોમાં સમાયેલું મનાય છે. દેવ, ગુર અને ધર્મ, આત્માની પૂરેપૂરી નિર્દોષ અવસ્થા એ દેવતત્વ; એવી નિર્દેઉતા પ્રાપ્ત કરવાની સાચી આધ્યાત્મિક સાધના એ ગુરુતત્ત્વ; અને બધી જાતને વિવેકી યથાર્થ સંયમ તે ધર્મતત્વ. આ ત્રણ તને જૈનત્વનો આત્મા કહેવો જોઈએ. એ તને સાચવનાર અને પિષનાર ભાવનાને એનું શરીર કહેવું જોઈએ. દેવતત્વને સ્થૂલ રૂપ આપનાર મંદિર, એમાંની મૂર્તિ, એની પૂજા-આરતી, એ સંસ્થા નભાવવાનાં આવકનાં સાધને, તેની વ્યવસ્થાપક પેઢીઓ, તીર્થસ્થાને એ બધું દેવતત્વની પિષક ભાવનારૂપ શરીરનાં વસ્ત્ર અને અલંકાર જેવું છે. એ જ રીતે મકાન, ખાનપાન, રહેવા આદિના નિયમો અને બીજા વિધિવિધાને એ ગુરુતત્વના શરીરનાં વસ્ત્ર કે અલંકારે છે. અમુક ચીજ ન ખાવી, અમુક જ ખાવી, અમુક પ્રમાણમાં ખાવી, અમુક વખતે ન જ ખાવું, અમુક સ્થાનમાં અમુક જ થાય, અમુકના પ્રત્યે અમુક રીતે જ વરતાય, ઈત્યાદિ વિધિનિષેધના નિયમે એ સંયમતત્વના શરીરનાં કપડાં કે ઘરેણાં છે.
આત્મા, શરીર, તેનાં અંગે વગેરેને પરસ્પર સંબંધ - આત્માને વસવા, કામ કરવા, વિકસવા વાસ્તે શરીરની મદદ અનિવાર્ય છે. શરીર વિના તે કશે વ્યવહાર સિદ્ધ કરી ન શકે. કપડાં પણ શરીરને રહ્યું છે. અલંકારે એની શેભા વધારે છે. પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક જ આત્મા હોવા છતાં એના અનાદિ જીવનમાં શરીર એક નથી હોતું. પ્રતિક્ષણે તે બદલાય છે–એ વાત મનમાં ન લઈએ તેય જૂના શરીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org