SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પર]' દર્શન અને ચિંતન સમગ્ર જનતા સાથે હોવા છતાં તેના ધમ્યપણા વિષે તીવ્ર મતભેદ ઊભું થાય છે. અત્યારે કોઈ પ્રત્યક્ષ આક્રમણકારી દુશ્મનોની સવારીઓ સદ્ભાગે કે દુગે ચડી નથી આવતી, એટલે એવા દુશ્મનોને ઠાર મારવામાં ધર્મ છે કે અધર્મ છે એ ચર્ચા કૃપાળુ બ્રિટિશ ગવર્મેન્ટ બંધ કરી આપણે સમય બચાવીજ લીધે છે; છતાંય ઑગદેવ જેવા રોગોની સવારીઓ ઊભી જ છે. તે વખતે એવા રોગના દૂત ગણાતા ઉંદરને મારવામાં કઈ સર્વજનહિતની દષ્ટિએ ધર્મ જુએ છે, તે બીજાઓ એને તદ્દન અધર્મ લેખે છે. જ્યાં વાઘ, સિંહ વગેરે ક્રર અને ઝેરી પ્રાણીઓ કે જંતુઓને ઉપદ્રવ હોય છે ત્યાં પણ સાર્વજનિક હિતની દષ્ટિએ એને સંહારવામાં ધમધર્મને સવાલ ઊભો થાય છે. એક વર્ગ સાર્વજનિક હિતની દૃષ્ટિએ કોઈ પણ જળાશય કે જાહેર રસ્તા આદિને મળમૂત્રથી બગાડવામાં અધર્મ લેખે છે, જ્યારે બીજો વર્ગ એ વિષે તદ્દન તટસ્થ જ નહિ પણ વિરેધી વર્તન કરે છે—જાણે કે એ એમાં ધર્મ માનતો હોય! આ તો માત્ર થોડાક નમૂનાઓ થયા, પણ અનેક જાતના ઝીણાઝીણા અને મોટામેટા એવા ક્રિયાકાંડના પ્રકારે છે કે જેને એક વર્ગ બિલકુલ ધર્મ માની વળગી રહેવા આગ્રહ કરે છે, જ્યારે બીજો વર્ગ તેવા ક્રિયાકાંડેને બંધન ગણ તેને ઉખાડી ફેંકવામાં જ ધર્મ લેખે છે. આ રીતે દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજમાં બાહ્ય રૂપિ, બાહ્ય વિધિવિધાનો અને બાહ્ય આચારે વિષે ધર્મ હોવા-ન હોવાની દૃષ્ટિએ બેસુમાર મતભેદ છે. તેથી આપણી પ્રસ્તુત. પરીક્ષા ઉપર્યુક્ત મતભેદના વિષય પરત્વેની છે. ' '. આપણે એ તે જોયું કે એવી બાબતોમાં અનાદિ મતભેદો છે અને તે ઘટે તેમ જ વધે પણ છે. મોટા ભાગે લોકોમાં એ મતભેદો પુરજોશમાં પ્રવર્તતા હોવા છતાં થોડાક પણ એવા માણસો હંમેશા મળી આવે છે કે જેમને એ મતભેદ સ્પર્શી જ નથી શકતા. એટલે વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે એવું તે શું છે કે જેને લીધે આવા બહુવ્યાપી મતભેદો એ થોડા ગણ્યાગાડ્યા કોને નથી સ્પર્શતા ? વળી જે તત્વને લીધે એથા લેકેને મતભેદ નથી સ્પર્શતા તે તત્ત્વ શું બીજાઓમાં શક્ય નથી ? આપણે ઉપર જોયું કે ધર્મનાં બે સ્વરૂપ છે. પહેલું તાત્વિક, જેમાં સામાન્યતઃ કાઈન મતભેદ નથી તે સગુણાત્મક; બીજું વ્યાવહારિક, જેમાં જાતજાતના મતભેદો અનિવાર્ય છે તે બાહ્ય પ્રવૃત્તિરૂપ. જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજે છે, જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના સંબંધ વિષે વિચારી જાણે છે, ટૂંકમાં તાત્વિક અને વ્યાવહારિક ધર્મના ચોગ્ય પૃથક્કરણની તેમ જ બળાબળની ચાવી જેઓને લાધી છે તેમને વ્યાવહારિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy