________________
ધમની અને એના ધ્યેયની પરીક્ષા
[ ૫૧ પણ વિષે તે મતભેદ છે જ નહિ. મતભેદ એ ધર્મ તરીકે લેખાતાં, ધર્મરૂપે મનાતાં, અને ધર્મનામથી વ્યવહાર પામતાં બાહ્ય રૂપે, બાહ્ય આચરણો કે બાહ્ય વ્યવહારે વિષે છે. આવો મતભેદ એક અગર બીજે રૂપે, તીવ્ર કે તીત્રતરરૂપે, મનુષ્યજાતિના ઈતિહાસ જેટલો જ જૂને છે. સામાન્ય રીતે મતભેદના વિષયરૂપ બાહ્ય નિયમ, વિધાને કે ક્રિયાકલાપેને ત્રણ ભાગમાં વહેંચી શકાય. નિયામાં ત્રણ જાતના મતભેદ
(૧) વૈયક્તિક: જે નિયમને મુખ્ય સંબંધ વ્યક્તિની ઈચ્છા સાથે છે તે; જેમ કે–ખાનપાન, સ્નાન આદિના નિયમો. કેઈ કંદમૂળને ધર્મની દષ્ટિએ તદ્દન વજ્ય માની એ ખાવામાં અધર્મ માને, જ્યારે બીજો તેને જ ખાઈ ઉપવાસ કરવામાં ધર્મ માને. એક જણ રાત પડ્યા પહેલાં જ ખાવામાં ધર્મ માને, બીજો રાત્રિભોજનમાં અધમ જ ન ગણે. એક વ્યક્તિ સ્નાનમાં જ ભારે ધર્મમાહાત્મ્ય સ્વીકારે, બીજો સ્નાનમાત્રમાં અધર્મ લેખે, અને એટલું બધું નહિ તે કોઈ પિતાને માન્ય એવી શેત્રુંજી જેવી નદીઓ સિવાયનાં જળાશમાં ધર્મમાહામ્ય સ્વીકારવાની ના પાડે.
(૨) સામાજિક કેટલાક બાહ્ય વ્યવહાર સામાજિક હોય છે, જે ધર્મ તરીકે લેખાય છે. એક સમાજ મંદિર બાંધવામાં ધર્મ માની તે પાછળ પૂરી શક્તિ ખર્ચે, બીજે સમાજ પૂર્ણપણે તેનો વિરોધ કરવામાં જ ધર્મ માને. મંદિરમાં માનનાર સમાજે પણ જુદી અને વિરોધી માન્યતાવાળા છે. એક વિષ્ણુ, શિવ કે રામ સિવાય બીજી મૂર્તિના નમન-પૂજનમાં અધર્મ બતાવે, જ્યારે બીજો સમાજ એ જ વિષ્ણુ આદિની મૂર્તિઓના આદરમાં અધર્મ માને. એટલું જ નહિ, પણ એક જ દેવની મૂર્તિઓના નગ્નત્વ કે વસ્ત્રધારણ જેવા સ્વરૂપમાં પણ ભારે સામાજિક મતભેદ છે. એક જ પ્રકારના સ્વરૂપની એક જ દેવની નમ્રમૂર્તિ માનનાર વચ્ચે પણ પૂજાના પ્રકારમાં કાંઈ એ છે મતભેદ નથી. એક સમાજ પુરુષના એકસાથે કે ક્રમે ગમે તેટલા વિવાહને અધર્મી નથી લેખત, જ્યારે પારણામાં ઝૂલતી બાળવિધવાના પુનર્લગ્નના નામમાત્રથી કંપે છે. એક કામ બને તેટલા દૂરના ગેમાં લગ્નસંબંધને ધમ્ય ગણે છે, જ્યારે બીજી કેમ બને તેટલા નજીકના ખાનદાનમાં લગ્નનું શ્રેષ્ઠત્વ સ્વીકારે છે. એક સમાજ ધર્મદષ્ટિએ પશુવધનું સમર્થન કરે છે, જ્યારે બીજે એ જ દૃષ્ટિએ એનો વિરોધ કરે છે.
(૩) સાર્વજનિક પ્રવૃત્તિઓ કેટલીક પ્રથાઓ એવી છે કે જેનો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org