________________
૫૦ ].
દર્શન અને ચિંતન ધમપરીક્ષાનાં ભયસ્થાને
ધર્મની પરીક્ષાને સદ્ભાગ્યે એવો ભય નથી એ ખરું, છતાં એનાં ભયસ્થાને જુદી જાતનાં હેય છે. પરીક્ષકમાં પૂરી વિચારશક્તિ ન હોય, વિચારશક્તિ હોય છતાં સમતોલપણું સાચવવાનું બળ નહેય, એ પણ હોય છતાં એની પરીક્ષાનું વ્યાજબી મૂલ્ય આંકે એવા શ્રેતાઓ ન હોય તો એ પરીક્ષાનું ભયસ્થાન ગણાય. ધર્મ જેવા સૂક્ષ્મ અને આળા વિષયની પરીક્ષાનું મુખ્ય ભયસ્થાન તો સ્વાર્થ છે. જે કઈ સ્વાર્થની સિદ્ધિથી પ્રેરાઈ અગર સ્વાર્થ જવાના ભયથી પ્રેરાઈ ધર્મની મીમાંસા શરૂ કરે તો તે પરીક્ષાને ન્યાય આપી ન શકે. એ વાતે આવી બાબતમાં હાથ નાખતી વખતે માણસને બધી બાજુથી બનતી સાવધાની રાખવી અનિવાર્ય થઈ પડે છે—જે એને પોતાના વિચારનું કાંઈ મૂલ્ય હેય તે. સવની સદ્ગુણપષક ભાવના
ધર્મને સમૂળધ્વંસ કરવા ઈચ્છનાર તરીકે જાણીતા થયેલ રશિયન સમાજવાદીઓને આપણે પૂછીએ કે તમે દયા, સત્ય, સંતોષ, ત્યાગ, પ્રેમ, ક્ષમા આદિ ગુણોનો નાશ કરવા ઈચ્છો છે ? તે એ શું જવાબ આપશે ? સમાજવાદીઓનો કટ્ટરમાં કટ્ટર વિરોધી પણ એમ પુરવાર કરી નહિ શકે કે તેઓ ઉપર્યુક્ત ગુણોને લેપ કરવા માગે છે. બીજી બાજુ ધર્મપ્રાણ કહેવાતા ધર્મજનને–ગમે તે પંથના અનુયાયીઓને–પૂછીએ કે તમે અસત્ય, દંભ, ક્રોધ, હિંસા, અનાચાર આદિ દુર્ગુણને પિષવા માગે છે કે સત્ય, મિત્રી વગેરેને પિોષવા ઈચ્છો છે? તે ધારું છું કે તેઓ એ જ જવાબ આપવાના કે તેઓ એક પણ દુર્ગુણને પક્ષ નથી કરતા, પણ બધા જ સદ્ગણોને પિષવા માગે છે. સાથે સાથે પેલા સમાજવાદીઓને પણ ઉક્ત દુર્ગુણ વિષે પૂછી લઈએ તે ઠીક થશે. કોઈએ તે નહિ જ કહે કે તે સમાજવાદીઓ પણ દુર્ગણે પિષવા માગે છે, અગર તે માટે બધી ભેજના કરે છે. જે ધાર્મિક કહેવાતા કટ્ટરપંથી અને ધર્મેચ્છેદક મનાતા સમાજવાદી એ બન્ને સગુણો પિષવા તેમ જ દુર્ગણે નિવારવાની બાબતમાં એકમત છે અને સામાન્ય રીતે સણમાં ગણાતા ગુણે અને દણમાં ગણાતા દેષો વિષે બન્નેને મતભેદ નથી, તો અહીં સવાલ થાય છે કે ઘરેડ૫થી અને સુધારવાદી એ બન્ને વચ્ચે ધર્મવ્યાણ અને ધર્મવિચ્છેદની બાબતમાં જે ભારે ખેંચતાણુ, ભારે મારામારી ને ભારે વિવાદ દેખાય છે તેનું શું કારણ? એ મતભેદ કે તકરાર ધર્મ નામની કઈ વસ્તુ વિષે છે? છતાં શાને માટે તકરાર?
સવૃત્તિ કે સદ્ગત્તિજન્ય ગુણ, જે માનસિક હેઈ સુક્ષ્મ છે, તેના ધમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org