SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] દર્શન અને ચિંતન છે. એકાદ ત્યાગીનો શિષ્ય અનાચારી થાય તો તે ગુરુ શિષ્યની વૃત્તિ સુધરી છે કે નહિ તે જોયા સિવાય પણ એને વેશધારી બનાવી રાખવાને પૂર્ણ પ્રયત્ન કરશે; કારણ કે, તેને એ શિષ્યની ભ્રષ્ટતા દ્વારા પોતાની પ્રતિષ્ઠા જવાનો ભય છે. કોઈ ગુરુ વંઠે ત્યારે તે સંપ્રદાયના અનુગામીઓ એ વંઠેલ આચાર્યને પદભ્રષ્ટ કરતાં ખચકાશે અને તેના ઉપર બળાત્કારી બ્રહ્મચર્ય લાદવાનો પ્રયત્ન કરશે કારણ કે, તેમને પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા ઘટવાનો ભય છે. પુષ્ટિમાર્ગના આચાર્યનું વારંવાર સ્નાન અને જૈન ધર્મના સાધુનું સર્વથા અસ્નાન કોઈ કોઈ વાર સામાજિક ભયને લીધે જ હોય છે. મોલવીઓના ગીતાપાઠમાં અને પંડિતના કુરાનપાઠમાં પણ સામાજિક ભય અને સ્વાર્થ માટે ભાગે નડતરરૂપ હોય છે. આ સામાજિક નીતિનિયમ અને રીતરિવાજેની પાછળ મોટે ભાગે ભય અને સ્વાર્થ જ રહેલા હોય છે. ભય અને સ્વાર્થથી અનુસરતા નીતિનિયમ છેક જ ફેંકી દેવા જોઈએ, અગર છેક જ નકામા છે, અગર તેના સિવાય પણ ચાલી શકે, એમ કહેવાનો અહીં આશય નથી. અહીં તે એટલું જ બતાવવું છે કે નીતિ અને ધર્મ વચ્ચે શું તફાવત છે. જે બંધન કે જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક હોય છે તે નીતિ; અને જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક નહિ પણ શુદ્ધ કર્તવ્ય ખાતર જ હોય છે અને જે કર્તવ્ય માત્ર યોગ્યતા ઉપર જ અવલંબિત હોય છે તે ધર્મ. નીતિ અને ધર્મ વચ્ચેને આ તફાવત કાંઈ નાનસને નથી. જે આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તે સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પિષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સંશોધન થતું નથી. સંશોધન એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે જ ખરે વિકાસ-એ સમજ જે વાસ્તવિક હોય તો એમ કહેવું જોઈએ કે એ વિકાસ ધર્મને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધર્મ જેટલે અંશે વધારે અનુસરતા હોય તે સમાજ તેટલે અંશે ચડિયાત. આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી સમજાય એટલા માટે કેટલાક દાખલાઓ લઈએ. બે જણ એવા કપ કે જેમાં એક ટિકિટમાસ્તર પિતાના ખાતાને હિસાબ બરાબર એકસાઈથી સાચવે છે અને રેખાતાને એક પાઈ પણ નુકસાન થાય તેટલી ભૂલ નથી કરત–એટલા સાર કે જે ભૂલ આવે તે ડાવાનો અગર નોકરી જવાને ભય છે; પણું એટલી જ ચીવટવાળો તે માસ્તર જે બીજો ભય ન હોય તે મુસાફરો પાસેથી લાંચ લે છે. જ્યારે આપણે કપેલે બીજે સ્ટેશનમાસ્તર હિસાબની ચેકસાઈ ઉપરાંત લાંચ મળવાને અને પચી જવાને ગમે તેટલે અનુકૂળ પ્રસંગ છતાં લાંચ નથી જ લેતે, એટલું જ નહિ, પણ તે લાંચરીનું વાતાવરણ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy