SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૩ દેવી એ ધર્મ છે. આ નિયમનું ઉલ્લંધન કરનાર કન્યાનો પિતા અને કન્યા. સમાજમાં ર્નિદાતાં. એ ભયથી એ નાની ઉમરના લગ્નની નીતિ ચાલી. વળી એ. નીતિમાં જ્યારે બહુ અનિષ્ટ વધી ગયું ત્યારે તે દૂર કરવા સમાજના આગેવાનો. અગર રાજ્યકર્તાઓને બીજો નિયમ ઘડવો પડ્યો અને હવે ચૌદકે સોળ વર્ષથી નાની ઉમરમાં કન્યાનું લગ્ન કરનાર કાં તે શિક્ષિત દ્વારા થતી નિંદાથી ડરે છે અને કાં તે રાજ્યના દંડભયથી ડરી નિયમનું પાલન કરે છે. એક કરજદાર માણસ ગમે તેટલી સંકડામણમાં પણ પિતાનું કરજ ચૂકવવા મથે છે–એટલા. માટે કે જે તે કરજ ન ચૂકવે તે તેની શાખ જાય અને શાખ જાય તો બીજાઓ ન ધીરે, અને તેમ થાય છે તેનો ધંધે જોખમાય. આ રીતે આપણે જોઈશું તે જણાશે કે સમાજમાં જે જે નીતિનિયમો પ્રચલિત હોય છે તેનું પાલન લેકે કાં તો ભયથી અને કાં તો સ્વાર્થથી કરે છે. જે અમુક કામ કરવાની પાછળ અગર અમુક કામ ન કરવાની પાછળ ભય કે લાલચ ન હોય તે તે કામ કરનાર અગર ન કરનાર કેટલા નીકળે, એ મોટો સવાલ છે. કન્યા એ પણ એક પુત્રની પેઠે સંતતિ જ છે, અને તેથી તેને પણ છોકરા એટલે જ હક હોવો જોઈએ એમ ધારીને તેને દાયજો આપનાર, માબાપ મળે તે કરતાં હજાર કે લાખગણાં વધારે માબાપ એવું સમજીને દાય કરનાર મળવાનાં કે જે ઠીકઠીક દાયજો આપવામાં નહિ આવે તો લાયક ઘર કન્યા માટે નહિ મળે અને વળી આપણું છોકરાઓ સારે ઘેર નહિ વરે. એ જ ભય કે સ્વાર્થ ઘણુ વાર છોકરા-છોકરીઓના શિક્ષણ પાછળ હોય છે અને તેથી જ વ્યવહારુ હેતુ સરતાં ઘણી વાર છોકરા-છોકરીઓનું શિક્ષણ બંધ પડે છે (પછી ભલે તે છોકરા કે છેકરીઓ શિક્ષણ લેવાને લાયક પણ હોય); કારણ કે, એ શિક્ષણ કેવળ શિક્ષણ ખાતર અપાતું ન હતું. આ રીતે આપણે કેટલાક સમાજમાં પુનર્લગ્નના પ્રતિબંધ વિશે પણ જોઈએ છીએ. જે સમાજમાં પુનર્લગ્ન નથી થતાં તેમાં પણ આજે ઘણું પુરુષો અને સ્ત્રીઓ એમ ચખું માનનારાં હોય છે કે બળાત્કારી વૈધવ્ય એ. ધર્મ નથી, છતાં તેઓ પિતાની લધુ પુત્રી કે બહેન જે વિધવા થાય છે તેની ઈચ્છા છતાં તેનું લગ્ન કરવા તૈયાર થતાં નથી. અને ઘણી વાર તે તેઓ પુનર્લગ્ન ઉપર પોતાની મરજી વિરુદ્ધ સખત જાપ્ત રાખે છે. બળાત્કારી બ્રહ્મચર્યની આ નીતિની પાછળ ભય અને સ્વાર્થ સિવાય બીજો કશો જ હેતુ હોતું નથી. ગૃહસ્થની વાત બાજુએ મૂકીએ અને ત્યાગી કે ગુરુ ગણાતા વર્ગની અંદર જઈને જોઈએ તે પણ આપણને જણાશે કે તેમના ઘણુ નીતિનિયમે અને વ્યવહારની પાછળ માત્ર ભર્યું અને સ્વાર્થ જ રહેલા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy