________________
૪૨ ]
દર્શન અને ચિંતછે; પહેરવેશ અને ખાનપાન બદલીને કે બદલ્યા સિવાય ઉદારતા કેળવીને જુદા પ્રકારના પહેરવેશ અને ખાનપાનવાળા મનુષ્ય સાથે સહેલાઈથી વસી. અને જિંદગી ગાળી શકે છે. બીજાનું સારું હોય તે લેવામાં અને પિતાનું સારું બીજાને આપવામાં માત્ર મનુષ્ય જ ગૌરવ અનુભવે છે. ભિન્ન દેશ, ભિન્ન રંગ, અને ભિન્ન સંસ્કારવાળી માનવપ્રજા સાથે માત્ર મનુષ્ય જ એકતા સાધી અને વિક્સાવી શકે છે. આ શક્તિને લીધે જ મનુષ્યને વર્ગ સમાજ નામને પાત્ર થયો છે.
મનુષ્ય જ્યાં હશે ત્યાં કેઈ ને કોઈ સમાજને અંશ થઈને રહેવાને. તે જે સમાજનો અંશ થઈને રહેતે હશે તે સમાજ ઉપર તેના સારાનરસા. સંસ્કારની અસર થવાની. એક મનુષ્ય બીડી પીતું હશે તે પિતાની આજુબાજુના લોકોમાં બીડીની તલપ જગાડી એ વ્યસનનું વાતાવરણ ઊભું કરશે. અફીણ પીનાર ચીને પિતાના સમાજમાં તે જ રુચિ કેળવશે. એકમાણસ ખરે કેળવાયેલ હશે તો તે પોતાના સમાજમાં કેળવણીનું વાતાવરણ જાણે કે અજાણે ઊભું કરશે જ. એ જ રીતે આખા સમાજમાં કે સમાજના મોટા ભાગમાં જે રીતભાત અને સંસ્કારો રૂઢ થયાં હશે (પછી તે ઇષ્ટ હોય. કે અનિષ્ટ) તે રીતભાત અને સંસ્કારોથી તે સમાજના ઘટક માણસને મુક્ત. રહેવું એ અશક્ય નહિ તો શક્ય જેવું થઈ પડશે. તાર કે ટિકિટ ઑફિસમાં કામ કરનારા અગર સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે એકાદ જણ એ જઈને રહે કે જે લાંચને ધિક્કારતો હોય, એટલું જ નહિ પણ ગમે તેટલી લાંચની લાલચ છતાં તેનો ભોગ બનવા ઈચ્છતે ન હોય, તો તેવા સાચુલા માણસને બાકીના લાંચિયા વર્ગ તરફથી ભારે ત્રાસ પડવાનો; કારણ કે, તે લાંચ ન લે એટલે સ્વાભાવિક રીતે જ બીજા લાંચિયાઓનો વિરોધ કરે અને તેમ થતાં બીજે આખો વર્ગ એક સંપ થઈ કાં તો તેને લાંચ લેતે કરે અને કાં તો તેને હેરાન કરવામાં ભણું ન રાખે. જે પેલે ભલે આદમી અસાધારણ હિમ્મત અને બુદ્ધિવાળે ન હોય તે તે બીજું કાંઈ નહિ તે છેવટે બીજાઓ લાંચ લે ત્યારે માત્ર તટસ્થ રહી આંખમિચામણાં કરે અને તે જ રીતે તેવા વર્ગમાં નભી શકે. એ જ ન્યાયે આપણું દેશી આઈ. સી. એસ.ને પણ પરદેશીઓ. સાથે ઘણી વાર ઘણું અનિષ્ટ સહન કરવું પડે છે. આમ છતાં આવાં અનિષ્ટોથી સમાજને બચાવવા સમાજના આગેવાનો કે રાજ્યકર્તાઓ કાયદાકાનનો ઘડે છે અગર નીતિનિયમ બાંધે છે. એક વખતે મોટી ઉમર સુધી. કન્યાઓને કુમારી રાખવામાં અમુક અનિષ્ટ જણાવાથી સ્મૃતિશાસ્ત્રમાં નિયમ દાખલ થયે કે આઠ અગર નવ વર્ષની કન્યા ગૌરી હોય તે જ ઉમરે પરણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org