________________
નીતિ, ધર્મ અને સમાજ
[ ૮ ]
કીડી તરફ આરીકાથી ધ્યાન આપીશું તે જણાશે કે તે એકલી રહી શકતી નથી. તે કાઈ ના સહચાર શેાધે છે. તેને કેાડાના તે શું પણ પાતાથી જુદી જાતની કીડીને પણ સહચાર નથી ફાવતા. તે પેાતાની જ જાતના સહચારમાં મસ્ત રહે છે. આવા ક્ષુદ્ર પ્રાણીઓથી આગળ વધી પંખી તરફ નજર કરીએ. કૂકડાથી વિખૂટી પડેલી કૂકડી મેાર સાથે રહેશે તાપણુ તે સતુષ્ટ રહી નહિ શકે. તેને પણ પોતાની જ જાતિનું સાહચય જોઈ એ. એક વાંદરા અને એક હરણ એ બન્ને પોતપાતાની જાતિમાં જેટલાં પ્રસન્ન રહી શકે અને જીવન લખાવી શકે તેટલાં વિજાતિમાં ગમે તેટલી સુખસગવડ છતાં પ્રસન્ન નહિ રહી શકે. માણસજાતે પેાતાને બનાવેલ, વફાદાર સેવક, અને સહચારી શ્વાન પણ જો બીજા શ્વાન વિનાના હશે તે તે અસંતુષ્ટ હશે અને તેથી જ એ પાળેલા શ્વાન પણ, ખીજા શ્વાનની અદેખાઈ કરવા છતાં, પાછા ખીજા શ્વાનને જોઈ શરૂઆતમાં લડીને પણ, છેવટે તેની સાથે એકરસ થઈ જશે અને ગેલ કરશે. પ્રાણી, પક્ષી અને પશુજાતિને આ નિયમ આપણે મનુષ્યમાં પણ જોઈએ છીએ.
મનુષ્ય, પખી કે પશુ પાળીને જંગલમાં એકલા રહેવાને ગમે તેટલા અભ્યાસ કરે પણુ છેવટે તેની પ્રકૃતિ મનુષ્યજાતિનું જ સાહચય શોધે છે. સમાન રહેણીકરણી, સમાન ટેવા, સમાન ભાષા, અને શરીરની સમાન રચનાને કારણે સજાતીય સાહચય શોધવાની વૃત્તિ જીવમાત્રમાં આપણે જોઈ એ છીએ. તેમ છતાં મનુષ્ય સિવાયના કાઈ પણ જીવવ`ને કે દેહધારીવર્ગને આપણે સમાજ નથી કહેતા. એ વ ભલે સમુદાય કે ગણુ કહેવાય, પણ સમાજની પાત્રતા તે મનુષ્યજાતિમાં જ છે; અને તેનું કારણ તે એ છે કે મનુષ્યમાં એટલી બુદ્ધિશક્તિ અને વિવેકશક્તિનું જ ખીજ છે કે તે પેાતાની રહેણીકરણી, પહેરવેશ, ભાષા, ખાનપાન, અને બીજા સંસ્કારા બદલી શકે છે, કેળવી શકે છે. માણસ ચાહે ત્યારે પ્રયત્નથી પેાતાની જન્મભાષા ઉપરાંત બીજી ભાષા શીખી લે છે, અને તે ભાષાએ ખેલનાર સાથે સહેલાઈથી હળી-મળી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org