________________
૪૦ ]
- દશને અને ચિંતન પંથમાં ધર્મ નથી, માટે જ પથ સમાજ અને રાષ્ટ્રને વાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતા આવવાના પ્રસંગે આવે છે ત્યાં ત્યાં બધે જ નિષ્ણાણ પથે આડે આવે છે. ધર્મજનિત પથે સરજાયા તે હતા માણસજાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે–પથે દાવ પણ એ જ કાર્ય કરવાનો કરે છે—અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પંથ જ એક થતાં અને મળતાં અટકાવે છે. પશે એટલે બીજું કાંઈ નહિ પણ ધર્મને નામે ઊતરેલું અને પિવાયેલું આપણું માનસિક સંકુચિતપણું કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંથના ઝેરીલા અને સાંકડા સંસ્કારો આવીને એમ કહે છે કે “સાવધાન! તારાથી એમ ન થાય. એમ કરીશ તે ધર્મ રસાતળ જશે. લેકે શું ધારશે અને શું કહેશે !” કઈ દિગંબર પિતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણાં ભરવાની પૈસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેને પથે તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજિયા લઈ જતું હોય અને કેઈ એક સાચો મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર બીજે રસ્તે જવાનું કહે અગર ગેકશી કરવાની ના પાડે છે તે મુસલમાનની એનો પંથ શી વલે કરે ? એક આર્યસમાજનો સભ્ય ક્યારેક સાચી દષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેનો સમાજ–પંથ તેને શું કરે? આ જ રીતે પંથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે; અથવા એમ કહો કે આપણે પોતે જ પિતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી સત્ય અને એકતાનો દ્રોહ કરી રહ્યા છીએ. તેથી જ તે પંથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરુઓ, પંડિત કે પુરોહિતે કદી મળી શકતા જ નથી, એકરસ થઈ શકતા જ નથી; જ્યારે બીજા સાધારણ માણસો સહેલાઈથી મળી શકે છે. તમે જોશે કે એકતાનો અને લેકકલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એકબીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય, એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે, તે સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યો છે.
આપણું આજનું કર્તવ્ય પથમાં કાં તે ધર્મ લાવવાનું છે અને નહિ તે પથને મિટાવવાનું છે. ધર્મ વિનાના પંથ કરતાં અપંથ એવા મનુષ્ય કે પશુ સુધ્ધાં થવું તે કહિતની દૃષ્ટિએ વધારે સારું છે એની કોઈ ના પાડે ખરું ?
–પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૨૧-૮-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org