SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ, ધર્મ અને સમાજ [ કય. નથી પસંદ કરતો. એ જ રીતે એક ત્યાગી વ્યક્તિ ખુલ્લી રીતે પૈસા લેવામાં કે રાખવામાં અકિંચન તને ભંગ લેખી પૈસા હાથમાં નહિ લે કે પોતાની પાસે નહિ સંધરે અને છતાં જે તેના મનમાં અકિંચનપણું આવ્યું નહિ હોય, એટલે કે લેભનો સંસ્કાર ગયો નહિ હોય, તે તે ધનિક શિષ્યોને મેળવી. મનમાં ફુલાશે અને જાણે પોતે જ ધનવાન હોય એ રીતે બીજા કરતાં પિતાને ચડિયાત માની ગર્વભરેલે હુંપદને વ્યવહાર કરશે. જયારે બીજો ત્યાગી, જે ખરે ત્યાગી હશે તે, પૈસા પિતાની માલિકીના કરીને પાસે નહિ જ રાખે અને પાસે હશે તો પણ તેના મનમાં જરાય નહિ હોય અભિમાન કે જરાય. નહિ હેય પોતાના અલગ સ્વામીપણુનું ગૌરવ. તે ગમે તેટલા ધનિકની વચ્ચે રહેવા છતાં અને ધનિકોની સેવાના પ્રસંગે માં આવવા છતાં નહિ. તેનાથી ફલાય કે નહિ તેને લીધે બીજા કરતાં પિતાને ચડિયાતે માને. આનું પરિણામ એ આવવાનું કે જે નીતિની દષ્ટિએ સમાજમાં ત્યાગીઓ હશે તે. તે સમાજ ચડેલે કે શુદ્ધ નહિ હોય; કારણ કે, તેમાં ત્યાગીના વેશમાં રહી એવી રીતે ભોગ સેવાતું હશે કે જેથી ત્યાગ પાળ્યો ગણાય અને ભોગ પણ પિવાય. એવી સ્થિતિમાં ત્યાગીઓ વચ્ચે સીધી રીતે પૈસો મેળવવાની કે સંધરવાની ગૃહસ્થોની પેઠે હરીફાઈ નહિ હોય, પણ બીજા કરતાં વધારે પૈસાદાર શિષ્યોને રીઝવી, સમજાવી, પોતાના બનાવી રાખવાની ગૂઢ હરીફાઈ તે અવશ્ય હશે. અને એવી હરીફાઈમાં તેઓ જાણે કે અજાણે સમાજની સેવા. કરવાને બદલે કુસેવા જ વધારે કરતા હશે. તેથી ઊલટું, સમાજમાં જે ધર્મ દૃષ્ટિએ ત્યાગી હોય તો તેઓને નહિ હોય પૈસા મેળવવાની કે સંઘરવાની હરીફાઈ અગર નહિ હોય પૈસાદાર ચેલાઓને પિતાના જ બનાવી રાખવાની ફિકર. એટલે તેઓ શિષ્યસંગ્રહ કે શિષ્ય પરિવાર વિષે તદ્દન નિશ્ચિત હશે અને માત્ર સમાજ પ્રત્યેના પિતાને કર્તવ્યમાં જ પ્રસન્ન હશે. એટલે એવા એ ત્યાગીઓ વચ્ચે નહિ આવવાને અદેખાઈને અગર કલેશને પ્રસંગ. અને એ જ રીતે તેમને લીધે તેઓ જે સમાજમાં રહેતા હશે તે સમાજમાં પણ નહિ આવવાનો વિખવાદને પ્રસંગ. આ રીતે આપણે જોઈ શક્યા કે એક સમાજમાં ગમે તેટલા સૈતિક ભૂમિકાવાળા ત્યાગી હોય છતાં તેનાથી સમાજનું કલ્યાણ ન થતાં વધારે અકલ્યાણ જ થવાનું, જ્યારે કોઈ બીજા. સમાજમાં સાચે ધાર્મિક ભૂમિકાવાળે ત્યાગી એક હોય તે પણ તે સમાજની. શુદ્ધિ ખૂબ જ વધારવાનો. એક બીજો દાખલો લઈએ. કેઈ સંન્યાસી ભગવાસના પ્રગટ થતાં સમાજમાં અપજશ થવાના ભયથી દેખીતી રીતે ત્યાગી રહી અનાચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy