________________
૬૮૬ ]
દર્શન અને ચિંતન આચાર પરત્વે મધ્યમમાર્ગ
પિતાના તત્ત્વજ્ઞાનને અનુસરીને જ બુદ્ધ આચાર વિશે પણ મધ્યમમાર્ગ વિચાર્યો અને ઉપદે. બુદ્ધ આચાર યા ધર્મની આડીઅવળી ગલીકૂચીઓમાં ફાંફા મારતા લેકને એવી બાબતો જ કહી કે જે વિશે કોઈ સમજદાર વાંધો લઈ શકે નહિ, અને છતાં જે વનને ખરું સુખ આપે. વૈદિક પરંપરામાં ધર્મના યજ્ઞ, અધ્યયન અને દાન એ ત્રણ સ્કંધે જાણીતા હતા. બુદ્ધે એના સ્થાનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ સ્કંધ ઉપર જ સૌનું ધ્યાન ખેંચ્યું. બુદ્ધે કહ્યું કે જીવનમાં સાચે અને થિર પ્રકાશ તે પ્રજ્ઞા યા વિવેકના ઊંડાણમાંથી જ લાધે છે, પણ એવી પ્રજ્ઞા ચિત્ત તે જ મેળવી શકે જે તે વિક્ષેપ ને ચંચળતાથી મુક્ત બની સ્થિરતા કેળવે. એવી સ્થિરતા યા સમાધિ શલના અનુશીલન વિના કદી સંભવી જ ન શકે. તેથી બુદ્ધ ધર્મની પ્રાથમિક ભૂમિકા તરીકે શીલવાન થવા ઉપર ભાર આપે. ગૃહસ્થ હોય કે ભિક્ષ, જે એ દુરશીલ હશે. સદાચારી નહિ હોય, સામૂહિક હિતમાં પિતાનું હિત સમાયું છે એ દૃષ્ટિથી નહિ વ તો તે ધર્મમાર્ગે કદી આગળ વધી નહિ શકે. શીલ, સમાધિ, પ્રજ્ઞા
બુદ્ધે જ્યારે શીલ ઉપર ભાર આપે ત્યારે માનસિક શુદ્ધિને અગ્રસ્થાન આપ્યું. માનસિક શુદ્ધિ ન સધાતી હોય, ચિત્તમાંથી કલેશ નબળા પડતા ન હોય તો ગમે તેવા કઠોરતમ તપ આદિ ધાર્મિક આચારને પણ અનુસરવાની બુદ્દે ના પાડી. બુદ્ધને ઉત્કટ તપ યા બીજા પ્રકારના દેહદમન સામે વિરોધ હતે તો તેના મૂળમાં તેની દષ્ટિ એટલી જ હતી કે અન્ત શુદ્ધિ ન સધાતી હોય તે બાહ્યધર્માચારને કાંઈ અર્થ નથી. આ રીતે બુધે શીલ, સમાધિ અને પ્રજ્ઞાના ધર્માચાર પરત્વે પણ મધ્યમમાર્ગ જ સ્વીકાર્યો, જે એના મધ્યમમાર્ગી તત્વજ્ઞાનના સિદ્ધાંત સાથે બરાબર સંવાદ ધરાવે છે. .
બુદ્ધે જીવનતત્ત્વ ત્રિકાળસ્પર્શ માન્યું, છતાં વર્તમાન જીવન ઉપર દષ્ટિને કેન્દ્રિત કરવા માટે વધારે ભાર આપે. આ ભાર ભૌતિક સુખવાદી લેકાયત દ્વારા અપાતા ભારથી જુદો છે. લેકાયત તે એટલું જ કહે કે તમારા હાથમાં જીવન આવ્યું છે તે એ ભણાય એટલું માણું લે. તેને ભાર ઈન્દ્રિયસુખ અને શરીરસુખને માણી લેવા ઉપર રહેતા. બુદ્ધ પણ વર્તમાન જીવનને માણું લેવાની વાત કહે છે, પણ તે જુદા દૃષ્ટિબિન્દુથી અને જુદી ભૂમિકા ઉપરથી. તે કહે છે કે ભૂતકાળ તે ગયે. હવે હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org