________________
સુરતને મધ્યમમાર્ગ
[ ૬૮૫. આત્માનું અસ્તિત્વ માત્ર વર્તમાન કાળ પૂરતું ન માનતાં શાશ્વત-સદા સ્થાયી માન, અને એ શાશ્વત જીવનને સદા સુખમય બનાવવાની દૃષ્ટિએ જ આચારપ્રણાલિકાઓ જતો ને તેને પ્રચાર કરતો. આ બન્ને વર્ગના વિચાર અને આચારમાં બુદ્ધને અતિરેક દેખાયો. બુદ્દે જોયું કે વર્તમાન જીવન
એ અનુભવસિદ્ધ સત્ય બને છે, પણ એનાથી પહેલાં અને પછી જીવનનું કઈ અનુસંધાન નથી એમ માનવું તે કેવળ ઈન્દ્રિયને ધૂળ અનુભવ ઉપર, આધાર રાખી સૂક્ષ્મ વિચાર અને તર્કબળને નકારવા બરાબર છે. એ જ રીતે બુધે એ પણ જોયું કે તત્વચિન્તકે આત્મા અને લેકના શાશ્વતપણ. વિશે વિચાર કરતાં કરતાં એવી ભૂમિકાએ પહોંચ્યા છે કે જે કોઈને માટે વિચાર કે તર્કથી ગમ્ય નથી.
તત્વજ્ઞાન પરત્વે મધ્યમમાર્ગ
તત્વવિચારની આ સ્થિતિ જોઈ બુદ્ધને તેમાંથી મધ્યમમાર્ગનું સત્ય લાધ્યું. એ સત્યને અનુસરી તેણે જીવનતત્ત્વ યા આત્મતત્વને કેવળ ઈન્દ્રિયગમ્ય વર્તમાનકાળની શૂળ મર્યાદાથી પર એવી, પણ વિચાર અને તર્કથી સમજી શકાય એવી, સૈકાલિક મર્યાદાવાળું સ્વીકાર્યું. પણ સાથે સાથે એવા આત્મ તત્વને દેશ-કાળની અસરથી તદ્દન મુક્ત એવા શાશ્વતવાદની અગમ્ય કટિથી પણ મુક્ત રાખ્યું. આ રીતે બુદ્દે આત્મતત્વને ઉચ્છેદવાદ તેમ જ કૂટનિત્યવાદ બન્નેથી પર રાખી તેનું દરેક વિચારવાન અને તર્કશીલને સમજાય એવું પ્રવાહગામી સ્વરૂપ સ્થાપ્યું. તેણે કહ્યું કે જે આપણે વર્તમાન અનુભવ પ્રત્યેક ક્ષણે આન્તરિક જીવનમાં પણ ફેરફાર જેતે હેય અને પૂર્વ પૂર્વના સંસ્કારમાંથી નવનવા અનુભવ પામતે હોય તે એ જ અનુભવને આધારે આપણે સ્વીકારવું જોઈએ કે વર્તમાન જીવનને પ્રારંભ એ કાંઈ આકસ્મિક નથી, પણ અતીતપ્રવાહમાંથી ફૂટેલું એક વહેણ માત્ર છે. એ જ રીતે વર્તમાન જીવન પૂરું થવા સાથે એને આન્તરિક પ્રવાહ સમાપ્ત નથી થતો, પણ એમાંથી એક નવું ભાવિ વહેણ શરૂ થાય છે.
આ રીતે બુદ્ધ આત્મા કે ચિત્તને ત્રણ કાળના પટમાં વિસ્તરેલ માનવા છતાં તેને સતત ગતિશીલ સ્વીકાર્યું અને એમાં જ પુનર્જન્મ, કર્મ, પુરુષાર્થ તેમ જ ચરમસુખવાદ એ બધું બુદ્ધિગમ્ય રીતે ઘટાવ્યું. આ થયે તત્ત્વજ્ઞાન પર બુદ્ધને મધ્યમમાર્ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org