SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ સુગતનો મધ્યમમા [ +૮૭ . ઉપાયે એ સુલભ નથી. ભાવી પણ અત્યારે હસ્તગત નથી અને હરતમત થયું કે તરત જ તે વમાન બનવાનું. એટલે જે કાંઈ હાથમાં છે અને સ્વાધીન છે તે તે વર્તમાન જીવન. આવા દુČભ અને ફરી ન લાધનાર વર્તમાન વનને કેવળ સ્થૂળ ભાગના સુખ માટે વેડફી નાખવું તેના કરતાં તેમાં સાચુ, નિર્બોધ અને કાઈને ઉપદ્રવ ન કરે એવું સુખ અનુભવવું એ જ મારા મધ્યમમાર્ગી ધર્મના મુખ્ય સૂર છે. તેથી જ હું કહું છું કે તમે શીલ દ્રારા અનુભવાતી નિર્ભયતાના સુખને આ જીવનમાં જ માણી લે. તેથી જ હું કહું છું કે સમાધિસુખ આ જીવનમાં જ અનુભવા અને પ્રજ્ઞાપ્રકાશના આનંદ પણ આ જીવનમાં જ અનુભવે. એક વાર રાજગૃહપતિ અજાતશત્રુ, અપરનામ ક્રાણિક, મુદ્દને મળવા જાય છે અને પ્રશ્ન કરે છે કે શ્રમણત્વથી પ્રત્યક્ષ લાભ ? એ પ્રશ્ન તત્કાલીન વાતાવરણમાંથી ઉપસ્થિત થયા છે. તે કાળે ભિક્ષુ અને અન્ય અનેક સાધકા હતા જે પેતપાતાની ઉત્કટ ધર્મસાધના ઉચ્ચ અને ઉચ્ચતર એવા પરલાકની સિદ્ધિ અર્થે કરતા. આ બાબતમાં યુદ્ધના દષ્ટિકાણુ એ હતા કે ધ સાધના એ જ ખરી કહેવાય જે વમાન જીવનમાં જ નિર્બોધ સુખને અનુભવ કરાવે. એકવાર વર્તમાન જીવનમાં જ એવા સુખની પ્રતીતિ ચાય તો ભાવિ માટે ચિંતા કરવાની જરૂર નથી. એના ક્રમમાં એ આપમેળે રચાશે. તેથી જ મુદ્દે અજાતશત્રુને શીલ, સમાધિ અને સાથી નીપજતા પ્રત્યક્ષ સુખની વાત વિશદપણે ‘ દીધનિકાય ’ ના લસુત્ત 'માં સમજાવી છે. ( સામજી યુદ્ધવિચાર ને બુદ્ધ વાર મુદ્દના પહેલાં અને એના સમયમાં બ્રહ્મ, બ્રહ્મા અને લેાક આદિ વિશે અનેકર’ગી ચર્ચાઓ થતી. કાઈ કહેતા કે લોક અન્તવાન છે તે ખીજા કહેતા કે તે અનન્ત છે. એ જ રીતે બ્રહ્મદેવને અનાદિઅનન્ત અને અનાદ્ધિ સાન્ત માનનાર પણ હતા. આવી આસર્ડ માન્યતાઓ યા દૃષ્ટિઓ ‘ દીધનિકાય' ના એક સૂત્રમાં બુદ્ધને મુખે વર્ણવાયેલી નોંધાઈ છે. ખરી રીતે એ ઉદ્ગારે બુદ્ધના જ છે એમ ન માનીએ તેય એમાં યુદ્ધનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થયું છે, એ નિર્વિવાદ સત્ય છે. તે દૃષ્ટિબિંદુ એટલે બુદ્ધ આવી અગમ્ય અને સદા વિવાદાસ્પદ માન્યતાઓને, જિજ્ઞાસુઓ અને સાધકાની બુદ્ધિને મૂંઝવનાર હેાઈ, એક જાળ તરીકે નિર્દેશ છે. તે શિષ્યાને કહે છે કે એવી માન્યતાઓ એ તા બ્રહ્મજાળ છે. (કદાચ ચાલુ ભ્રમજાળ શબ્દ એનું જ અપભ્રષ્ટ રૂપ હોય. એમાં Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy