________________
૧૮૦ ]
દર્શન અને ચિંતન આપણું ધ્યાન ખેંચે છે. એ વિશેષતા આજે અને હંમેશાં લગ્નના પ્રશ્ન પર કેટલી કામની છે, તે સમજવાની દષ્ટિએ હવે આપણે એની ટૂંકમાં તારવણી કરીશું.
૧. શુદ્ધોદન : પિતા અને શ્વશુર તરીકેની શુદ્ધોદનની ચાર વિશેષતાઓ ભણી આપણું ધ્યાન જાય છે. પહેલી એ કે ઉંમરલાયક સંતતિને પૂછળ્યા વિના, તેને નિર્ણય જાણ્યા વિના, લગ્ન બાબત પિતાનો નિર્ણય તેના ઉપર ઠેકી ન બેસાડવાની વૃત્તિ, અર્થાત લગ્નની પસંદગીમાં સંતતિની ઇચ્છાનું મુખ્ય સ્થાન. બીજી વિશેષતા કન્યાની યોગ્યતા વિશેની કસોટી છે. શુદ્ધોદનની મુખ્ય કસોટી પાત્રની ગુણવત્તા છે. તે શદ્ર કન્યા હોય તો પણ જે ગુણની દૃષ્ટિએ ચઢિય તી હોય, તે કુમાર માટે પસંદ કરે છે. એને મન બ્રાહ્મણ કે ક્ષત્રિય આદિ કહેવાતી ઉચ્ચ જાતિનું કોઈ મહત્ત્વ નથી. એને ખરું મહત્ત્વ ગુણમાં જ દેખાય છે, જે સુખી દામ્પત્યની સાચી ભૂમિકા છે. ત્રીજી બાબત કુમાર સિદ્ધાર્થને વરવાની કન્યા ગોપાની ઈચ્છા પુરોહિત દ્વારા જાણ્યા પછી પણ કુમારને મોકળા મનથી કન્યાની છેલ્લી પસંદગી કરી લેવા માટેની તક આપવી તે. ચોથી બાબત વધારે મહત્ત્વની લાગે છે. વડીલે સમક્ષ ઘૂંઘટ કે લાજ નહિ કાઢવા માટે રૂઢિચુસ્ત લેકે તરફથી ટીકા થતાં જ્યારે ગોપા શિષ્ટ અને વીર નારીની હેસિયતથી લાજ કાઢવા અને ન કાઢવા વચ્ચેનું અંતર માર્મિક રીતે પ્રગટ કરે છે, ત્યારે શ્વશર તરીકે શુદ્ધોદને પુત્રવધૂ ગોપાના વક્તવ્યને સ્વચ્છંદી કે ઉદ્ધત ન લખતાં ઊલટું વધાવી લઈ તેને પ્રતિષ્ઠા આપી લાજની રૂઢિને તેડી તે.
* ૨. દંડપાણિ ? બીજું પાત્ર દંડપાણિ છે, જે ગપાને પિતા છે. પુત્રી ગેપ કુમાર સિદ્ધાર્થને વરવા ઈચ્છે છે એ જાણ્યા પછી પણ તે શુદ્ધોદને કરેલા ભાગાને સ્વીકાર્યા પહેલાં એક એવી શરત મૂકે છે કે જે શરતમાં કુમાર પસાર થાય તો પુત્રીને પિતાની પસંદગી કર્યા બદલ પ્રસન્નતા થાય અને હોંશ વધે, અને જે શરતમાં ઉમેદવાર પસાર ન થાય તે કન્યાને પિતાને જ પોતાની પસંદગી કે નિર્ણય બદલવાની તક મળે, અને પિતા તરીકે ઉંમરલાયક પુત્રીની ઈચ્છાને કશી દલીલ આપ્યા વિના અવગણવાના અનિષ્ટ પરિણામથી બચી જવાય. - ૩. સિદ્ધાર્થ : ત્રીજું પાત્ર સિદ્ધાર્થ છે. એની વિશેષતાઓ તે ધણી છે: (૧) કુટુંબીઓ લગ્ન બાબત પૂછવા જાય છે, ત્યારે તુરતાતુરત હા કે ના ન પાડતાં સાત દિવસ પછી પૂર્ણ વિચાર કર્યા બાદ જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org