________________
બુદ્ધ અને પા
[ ૬૭૭. પણ દંડપાણિએ જવાબ આપે કે, “કુમાર તે ઘરમાં જ સુખે ઊછરેલા છે અને હું તે યુદ્ધ તેમ જ કળા કે શિલ્પમાં કુશળ હોય તેવાને જ કન્યા આપવાનો છું. કુમાર કાંઈ યુદ્ધ, કળા કે શિલ્પમાં કુશળ નથી.”
શુદ્ધોદનની મૂંઝવણ - પુરોહિતે દંડપાણિને જવાબ રાજાને કહી સંભળાવ્યો. રાજા ઊંડા વિચારમાં પડ્યો કે મને અત્યાર અગાઉ બે વાર લેકેએ ચેતવ્યું હતું કે જે કુમાર રાજમહેલની બહાર ન નીકળતા હોય તે અમે તેમની સાથે રમતગમત કે અખાડા આદિના પ્રયોગોમાં ભાગ લેવા આવીને શું કરવાના? ખરેખર, હવે એ સંકટ સામે આવ્યું છે. કુમારને ખબર પડી કે રાજા ખૂબ ચિંતાતુર છે. તેણે આવીને પૂછ્યું કે, “પિતાજી ! કહો કે ઉદાસ શા માટે છો?” “તારે શું કામ છે ?–એમ કહી રાજાએ ટાળવા માંડ્યું, પણ છેવટે કુમારના આગ્રહથી રાજાએ દંડપાણિની કન્યા આપવાને લગતી શરત વિશેની બધી હકીકત સ્પષ્ટ કહી. કુમારે તરત જ જવાબ આપ્યો કે, “શું મારી સાથે કોઈ બધા પ્રયોગમાં ઊતરે તેવો છે?” રાજાએ પૂછ્યું કે, “ તું વ્યાયામ, - યુદ્ધ, શિલ્પ આદિના બધા પ્રયોગો કરી શકીશ?” કુમારે કહ્યું, “અવશ્ય.
બધા વિશારદની હાજરીમાં બીજાઓની સાથે સ્પર્ધામાં અવશ્ય ઊતરીશ.” સિદ્ધાર્થને હરીફાઈમાં વિજય અને પા સાથે વિવાહ - રાજાએ પ્રસન્ન થઈ ઢોરે પિટાવ્યો કે “આજથી સાતમે દિવસે કુમાર બધી જાતના ખેલ, તમાશા અને કૌશલપ્રયોગમાં ગમે તે બીજા સાથે હરીફાઈમાં ઊતરશે, માટે જે જે એ બાબતમાં કુશળ હોય તે બધાએ ઉપસ્થિત થવું અને સ્પર્ધામાં ભાગ લેવો. ઘેષણને અનુસરી મેદાનમાં પાંચ શકય કુમારે હરીફાઈમાં ભાગ લેવા આવ્યા. પેલી ગેપ પણ આવી અને તેણીએ એક જયપતાકા ખોડી, અને જાહેર રીતે ઉચ્ચાર્યું કે જે તલવાર, ધનુષ વગેરેના યુદ્ધમાં તેમ જ ઇતર કળા કૌશલના પ્રગમાં જીતશે તે આ પતાકાને અધિકારી છે. વિશ્વામિત્ર નામના લિપિત્તની સાક્ષીએ લિપિજ્ઞાનની હરીફાઈ થઈ તે છેવટે વિશ્વામિત્રે કહ્યું કે આ સિદ્ધાર્થ જેટલી લિપિઓ જાણે છે તેટલી તે હુંય નથી જાણત, માટે વિજય એને વરે છે. ત્યાર બાદ ગણિતની હરીફાઈ શરૂ થઈ એમાં પણ કુમાર છ. અનુક્રમે બધી જ કળાઓમાં, કુસ્તીમાં અને ધનુર્વિદ્યા આદિ પ્રગમાં કમાર સિદ્ધાર્થ જ છે. આ જીતથી એક બાજુ તમામ પ્રેક્ષકે નાચી ઊડ્યા ને કુમાર ઉપર પુષ્પવર્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org