________________
બુ અને ગેપ
[ ૬૫ ભાષિણી હેય, જે આળસ સેવ્યા સિવાય મારા ચિત્તને અનુસરે તેમ જ જે શુદ્ધ ખાનદાનવાળી હવા ઉપરાંત રૂ૫-યૌવનવતી પણ હોય; એટલું જ નહિ, પણ રૂપ છતાં રૂપને મદ ન હોય, જેનું ચિત્ત માતા અને બહેનના જેવું પ્રેમાળ હૈય; જે સ્વભાવે ઉદાર હાઈ બ્રાહ્મણ અને શ્રમ
ને દાન દેવાની વૃત્તિવાળી હોય; જે પિતાના પતિમાં એટલી બધી સંતુષ્ટ હોય કે સ્વમમાં પણ અન્ય પુરુષને ન ચિંતવે; જે ગર્વિષ્ઠ કે ઉદ્ધત ન હોય પણ ધીટ હેય; જે નમ્ર હોવા છતાં દાસી કે ગુલામડી જેવી ન હોય પણ સ્વમાની હેય; જે કેફી પીણાં કે ઉન્માદક ગીત, સુગધ આદિમાં આસક્ત ન હોય, એવી નિર્લોભવૃત્તિવાળી હોય કે જે કાંઈ પિતાનું હોય તેમાં જ સંતુષ્ટ રહે, પણ બીજાની પાસેથી કશું જ મેળવવાની આશા ન સેવે; જે ચંચળ કે અસ્થિર ન હોય અને જે લજજાના ચિહ્ન લેખે પડદે સેવનાર કે બેઠાડુ ન હોય; જે ઊંઘણશી ન હોય, જે વિચારશીલ હોય અને જે સાસુ તેમ જ સસરા પ્રત્યે પ્રેમ ધરાવે તેવી હોય; જે દાસ-દાસીવર્ગ પ્રત્યે પોતાની જાત એટલે જ પ્રેમ રાખે તેવી હોય; જે શાસ્ત્રીય વિધિ પ્રમાણે સૌની પછી સૂએ અને સૌના પહેલાં ઊઠે તેવી હૈય; જે સૌના પ્રત્યે મિત્રતા રાખનારી હોય અને કુમારી હૈય–જે આવી કન્યા હોય તે, હે પિતાજી ! તમે એને મારે માટે પસંદ કરે.” કન્યાની શોધ
- પિતા શુદ્ધોદને પુરેહિતને બોલાવી તેના હાથમાં સિદ્ધાર્થ તરફથી આવેલે લેખ મૂકી કહ્યું કે આ લેખમાં સૂચવ્યા મુજબના ગુણવાળી કન્યા શોધી લાવે. કન્યાની પસંદગીમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શક એવો કોઈ વર્ણ કે જાતિભેદ જેવાને નથી; કારણ કે કુમાર કેવળ ગુણાર્થિક છે, નહિ કે કુળ કે ગાત્રને અર્થે. પુરોહિત પિલવસ્તુ નગરમાં ચોમેર ભટક્યો, પણ યોગ્ય કન્યા ન જોઈ. છેવટે દંડપાણિ નામના શાક્યને ત્યાં પ્રવેશ કરતાં જ એવી કન્યા નજરે પડી, જે પુરોહિતને બધી રીતે એગ્ય લાગી. કન્યા પણ પરેહિતને આવેલા જોઈ તેના પગમાં પડી અદબપૂર્વક બેલી કે, “મહારાજ ! શા માટે પધાર્યા છે?” પુરોહિતે લિખિત પત્ર આપી કહ્યું કે આમાં વર્ણવ્યા છે એવા ગુણ હોય તેવી કન્યા સિદ્ધાર્થ માર પસંદ કરે છે.” કન્યાએ વાંચીને જરા પણ ઢીલ કર્યા વિના સ્મિતપૂર્વક જવાબ આપ્યો કે,
જાવ અને કુમારને કહે કે એ બધા ગુણે મારામાં છે. હું તે સૌમ્ય કુમારની પત્ની થઈશ. કેઈ હીન કે પ્રાકૃત પાત્ર સાથે એને સંબંધ ન થાવ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org