________________
૬૭૪ ]
દર્શન અને ચિંતન રહેત. આ દષ્ટિએ બુદ્ધ ને ગેપના એ વરણ–પ્રસંગનું આખું ચિત્ર વાચકે સમક્ષ રજુ કરવા જેવું લાગવાથી પ્રસ્તુત પ્રયત્ન છે.
બને તેટલું ટૂંકાવાની વૃત્તિ હોવા છતાં એ પ્રસંગ એટલે બધે મધુર છે કે તેને સાવ ટૂંકાવવા જતાં એને આત્મા જ હણાઈ જાય; પણ વાંચનાર ધીરજ રાખશે તે એને એ લંબાણ કંટાળો નહિ આપે. લગ્નનું કહેણ
એકવાર એકત્ર મળેલા મેટા મોટા અનેક શાક્યોએ શુદ્ધોદનને કહ્યું કે કુમાર સિદ્ધાર્થ ઉંમરલાયક થયો છે. જ્યોતિષીઓ અને સામુદ્રિકેની ભવિષ્યવાણી છે કે કાં તો તે ધર્મપ્રવર્તક થશે અને કાં તે તે ચક્રવતી. એટલે જે એનું લગ્ન કરી દેવામાં આવે તો તે ઘરમાં વસી, સ્ત્રીસુખમાં પડી ન્યાયે રાજ્ય કરશે અને અનેક વીરપુત્રને જન્મ આપી શાક્યકુળ દીપાવશે. શુદ્ધોદને જવાબ આપ્યો કે કન્યાની તપાસ કરીશું. ઉપસ્થિત દરેક શાક્ય આગેવાનોએ કહ્યું કે અમારી કન્યા તેને એગ્ય છે; પણ શુદ્ધોદન કહે છે કે કુમારને પૂછવા વિના આપણો નિર્ણય કામનો નથી. પછી તે બધા જ વડીલ શાળ્યોએ મળી કુમારને પૂછયું કે, “તને કઈ કન્યા પસંદ છે?” કુમાર સિદ્ધાર્થે કહ્યું કે, “હું આજથી સાતમે દિવસે જવાબ આપીશ.” લગ્ન વિશે મંથન અને નિર્ણય
- કુમાર જોધિસત્વને પ્રથમ તે થયું કે હું ભેગના દોષ જાણું છું; મને એકાંતમાં ધ્યાનમગ્ન રહેવાનું ગમે છે; તે હું ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે શોભે? પણ ત્યાર બાદ વધારે વિચાર કરતાં તેને લાગ્યું કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થવાથી અનેક પ્રાણીઓનું ભલું જ થવાનું છે. કમળ કાદવ અને પાણીમાં રહેવા છતાં લેપાતું નથી તેમ હું અલિપ્ત રહીશ અને પૂર્વે થઈ ગયેલા બધા જ બોધિસોએ એ રીતે અલિપ્તપણે ગૃહપ્રવેશ કર્યો પણ છે. તેથી લોકહિતની દષ્ટિએ લગ્ન તે કરવું, પણ કન્યા યોગ્ય મળે તે જ. આમ વિચારી તેણે કન્યાની યેગ્યતાને લગતા પિતાના વિચારે લખી મેકલ્યા. તેના એ વિચારે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. તે આ રહ્યા: પિતાને પત્ર અને ગ્ય કન્યાની પસંદગીની સૂચના
જે પ્રાકૃત કે અસંસ્કારી હોય, તે કન્યા મારી વધુ થવા લાયક નથી જ. જેનામાં અદેખાઈ વગેરે દોષ ન હય, જે હંમેશાં સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org